શાહરુખ ખાન જો હિન્દુ હોત તો કેવા હોત? જાણો કિંગ ખાનનો જવાબ

20 December, 2022 02:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઈન્ટરવ્યુ દરમિયાન શાહરુખ ખાનને પૂછવામાં આવ્યું હતું કે જો તે હિન્દુ હોત અથવા તેમનું નામ કંઈ બીજુ હોત તો શું સ્થિતિ અલગ હોત?

શાહરુખ ખાન

શાહરુખ ખાન (Shah Rukh Khan)ની ફિલ્મ પઠાન (Pathaan) હાલમાં વિવાદોથી ઘેરાયલી છે. ફિલ્મમાં બેશરમ રંગ ગીતને લઈ વિવાદ થઈ રહ્યો છે. શાહરુખ ખાન અને દીપિકા પાદૂકોણ પર અશ્લીલતા ફેલાવવાનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. ધાર્મિક સંગઠનોએ પઠાનને બૉયકૉટ કરવાની માગ કરી છે. એવામાં આ વિવાદ વચ્ચે શાહરુખ ખાનનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. 

શાહરુખ ખાનના એક જુના ઈન્ટરવ્યુનું નિવેદન વાયરલ થયું છે. ઈન્ટરવ્યુ દરમિયાન શાહરુખ ખાનને પૂછવામાં આવ્યું હતું કે જો તે હિન્દુ હોત અથવા તેમનું નામ કંઈ બીજુ હોત તો શું સ્થિતિ અલગ હોત?  શાહરુખને કહેવામાં આવ્યું કે તમે એક સારા મુસ્લિમ છો. પરંતુ તમારુ નામ SKથી શેખર કૃષ્ણા હોત...આના પર શાહરુખ વચ્ચે જ બોલ્યા કે શેખર કૃષ્ણા નહીં...શેખર રાધા કૃષ્ણા. ત્યાર બાદ શાહરુખે પોતાના જવાબથી ફેન્સના દિલ જીતી લીધા હતાં. 

આ પણ વાંચો:‘પઠાન’ને દીકરીની સાથે બેસીને જોશે શાહરુખ?: મધ્ય પ્રદેશ વિધાનસભાના સ્પીકર

શાહરુખે કહ્યું કે જો તે હિન્દુ હોત અથવા તેનું નામ શેખર રાધા કૃષ્ણ હોત તો પણ તે આવાં જ હતો અને દરેક વસ્તુ તેમના માટે આવી જ હોત. મને નથી લાગતું કે કઈં અલગ હોત. મને લાગે છે કે એક આર્ટિસ્ટમાં એ ટેંડેંસી હોય છે કે તેમને ફર્ક નથી પડતો કે તે કયા સમાજમાંથી અને સેક્ટરમાંથી આવે છે. તમે તેની આર્ટને પસંદ કરો છો અથવા તો નથી કરતાં. તમે મને કોઈ પણ નામથી બોલાવત હું આવો જ સ્વીટ હોત. 

આ પણ વાંચો:ઈવેન્ટ દરમિયાન આ કન્નડ અભિનેતાને પડ્યું ચપ્પલ, વિવાદિત નિવેદનથી ઉશ્કેરાયા ફેન્સ

શાહરુખ ખાનના આ સુંદર જવાબ પર લોકો દિવાના થઈ ગયા. હવે પઠાન પર થઈ રહેલા વિવાદ વચ્ચે ધર્મને લઈ શાહરુખ ખાનનો આ વીડિયો ફરી ચર્ચામાં આવ્યો છે. શાહરુખ ખાનનો સ્વીટ અંદાજ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. 

 

 

bollywood news pathaan Shah Rukh Khan deepika padukone entertainment news