વૅનિટી વૅનને અકસ્માત નડ્યા બાદ અલ્લુ અર્જુન છે સલામત

08 February, 2021 10:58 AM IST  |  Mumbai | Mumbai correspondent

વૅનિટી વૅનને અકસ્માત નડ્યા બાદ અલ્લુ અર્જુન છે સલામત

વૅનિટી વૅનને અકસ્માત નડ્યા બાદ અલ્લુ અર્જુન છે સલામત

અલ્લુ અર્જુનની વૅનિટી વૅન ફાલ્કનનો ઍક્સિડન્ટ થયા બાદ તે સહીસલામત છે. અલ્લુ અર્જુન તેની ફિલ્મ ‘પુષ્પા’નું શૂટિંગ કરીને પાછો ફરી રહ્યો હતો એ વખતે આ ઘટના ઘટી હતી. જોકે તેની મેક-અપની ટીમને હલકો અકસ્માત નડ્યો છે. મળેલી માહિતી મુજબ ડ્રાઇવરે જ્યારે બ્રેક મારી હતી ત્યારે પાછળથી કોઈ ગાડી વૅનિટી વૅન સાથે અથડાઈ હતી. સદ્નસીબે અલ્લુ અર્જુન એ વખતે ગાડીમાં નહોતો. જોકે કોઈને પણ ઈજા નથી પહોંચી. ખમ્મામ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધવામાં આવી છે. અલ્લુ અર્જુન સુરક્ષિત ઘરે પાછો ફરતાં તેની વાઇફ અને બાળકો ખુશ થઈ ઊઠ્યાં હતાં.

bollywood bollywood news bollywood ssips