સી. શંકરનની બાયોપિકમાં દેખાશે અક્ષયકુમાર અને આર. માધવન

12 January, 2023 03:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સી. શંકરન નાયર એક વકીલ હતા. તેમનો જન્મ ૧૮૫૭ની ૧૧ જુલાઈએ કેરળમાં થયો હતો.

અક્ષયકુમાર અને આર. માધવન

અક્ષયકુમાર અને આર. માધવન, સી. શંકરન નાયરની બાયોપિકમાં જોવા મળે એવી ચર્ચા છે. સી. શંકરન નાયર એક વકીલ હતા. તેમનો જન્મ ૧૮૫૭ની ૧૧ જુલાઈએ કેરળમાં થયો હતો. તેઓ હંમેશાં સત્યનો સાથ આપતા હતા. તેમના જીવન પર બનનારી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેઓ હાલમાં જ શૂટિંગ માટે સાથે જોવા મળ્યા હતા. આ કોર્ટરૂમ ડ્રામાનું શૂટિંગ ફેબ્રુઆરીમાં પૂરું કરવામાં આવશે. અક્ષયકુમાર અને આર. માધવન અનેક રીડિંગ સેશન્સમાં પણ સામેલ થયા હતા. આ ફિલ્મ ૨૦૨૪માં રિલીઝ કરવામાં આવશે.

entertainment news bollywood news bollywood gossips bollywood r. madhavan akshay kumar upcoming movie