04 July, 2020 06:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: ટ્વીટર
રાજનીતિમાં કોઈપણ મહત્વની ઘટના બને તો બૉલીવુડ તેના પર અચુક ફિલ્મ બનાવે જ છે. તાજેતરમાં જ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં 20 સૈનિકો શહીદ થયા હતા. શહીદોના આ પરાક્રમ પર બૉલીવુડ અભિનેતા અજય દેવગન ફિલ્મ બનાવશે અને તેમને શ્રદ્ધાંજલી આપશે.
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે, ‘અજય દેવગન ગલવાન વેલી પર ફિલ્મ બનાવી રહ્યો છે. ફિલ્મનું ટાઈટલ હજી સુધી નક્કી નથી. 20 ભારતીય જવાનોના બલિદાન પર આ ફિલ્મ આધારિત હશે. સ્ટાર કાસ્ટ હજી નક્કી કરવામાં આવી નથી. અજય દેવગન તથા સિલેક્ટ મીડિયા હોલ્ડિંગ્સ LLP ફિલ્મ સાથે મળીને આ ફિલ્મ પ્રોડ્યૂસ કરશે.’
આ અગાઉ પણ બૉલીવુડમાં યુદ્ધના વિષય અને હકીકત પર 'બોર્ડર', 'પલટન' જેવી ફિલ્મો બની છે.