47 વર્ષે પણ તબુએ કેમ નથી કર્યા લગ્ન, અજય દેવગણે કર્યો ખુલાસો

16 May, 2019 02:35 PM IST  |  મુંબઈ

47 વર્ષે પણ તબુએ કેમ નથી કર્યા લગ્ન, અજય દેવગણે કર્યો ખુલાસો

અજય દેવગણ તબુ અને રકુલ પ્રીત સિંહની નવી ફિલ્મ 'દે દે પ્યાર દે' 17 મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મા ટ્રેલર અને ગીતોએ લોકોમાં ખૂબ ઉત્સુક્તા જગાવી છે. આ ફિલ્મ એક કોમેડી ડ્રામા છે, જેમાં અજય દેવગણને પોતાની પુત્રી સાથે પ્રેમ થઈ જાય છે. ફિલ્મમાં તબુની સાથે રકુલપ્રીત લીડ રોલમાં છે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન તબુના લગ્ન અંગે અજય દેવગણને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે તબુ અને અજય દેવગણ બેસ્ટ ફ્રેન્ડ છે. ત્યારે અજય દેવગણે 'દે દે પ્યાર દે'ના પ્રમોશન દરમિયાન તબુના લગ્ન અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અજયે કહ્યું કે કેમ તબુએ આજ સુધી લગ્ન કેમ નથી કર્યા ? અજય દેવગણે કહ્યું કે,'તબુને મારા જેવો છોકરો જોઈતો હતો, પરંતુ મારા જેવું કોઈ મળ્યું નહીં, એટલે તે હજી સુધી કુંવારી છે.'

તો અજય દેવગણે પ્રમોશન દરમિયાન પોતાની ફિલ્મ વિશે પણ વાત કરી અને કહ્યું બીજી મહિલાઓને જઈ દરેક પુરુષને આકર્ષણ થાય છે. અજય દેવગણે કહ્યું કે કાજોલને પણ આ વાત ખબર છે, અને તેને કોઈ પ્રોબ્લેમ નથી.

આ પણ વાંચોઃ શેફાલી શાહ છે અડધા ગુજરાતી અને અડધા મેંગ્લોરિયન, આ ગુજરાતી ફિલ્મમાં કર્યું છે કામ

અજય દેવગણની ફિલ્મ દે દે પ્યાર દે 17મી મેના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને લવ રંજને ડિરેક્ટ કરી છે. આ પહેલા લવ રંજન પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કે સ્વિટી જેવી ફિલ્મો આપી ચૂક્યા છે.

ajay devgn tabu rakul preet singh bollywood