31 March, 2020 04:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અજય દેવગન પત્ની કાજોલ અને દિકરી ન્યાસા સાથે
સોશ્યલ મિડિયા પર જાકોલ અને ન્યાસા દેવગનને કોરાન થયો હોવાનો અને તેમની તબિયત બગડી હોવાની અફવાઓએ જોર પકડતા અઝય દેવગને એ ક સોશ્યલ મિડિયાનો સહારો લઈને તેના ફૅન્સને જણાવ્યું હતું કે, મારી પત્ની કાજોલ અને દિકરી ન્યાસા તંદુરસ્ત અને ખુશ છે, તેમણે કોરોના વાયરસ (COVID-19)નું પરીક્ષણ નથી કરાવ્યું. સોશ્યલ મિડિયા પર ફરતા અહેવાલો ખોટા અને નિરાધાર છે.
અનેક અહેવાલો અનુસાર એવું કહેવામાં આવતું હતું કે, ન્યાસા દેવગનનો કોરોના વાયરસનો ટેસ્ટ સકારાત્મક આવ્યો છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખા દેશમાં લૉકડાઉનની જાહેરાત કરીને તેના થોડાક દિવસો પહેલા જ ન્યાસા સિંગાપોરથી આવી હતી. કોરોનાના લક્ષણો દેખાતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બાબત જાણીને ચિંતાતુર થયેલા ચાહકોએ અજયને ન્યાસા અને કાજોલની તબિયત વિષે સવાલો પુછવાના શરૂ કરી દીધા હતા.
આખરે સોમવારે રાત્રે અજય દેવગને ટ્વીટર પર તેના ચાહકોને જવાબ આપ્યો હતો કે, 'તમે કાજોલ અને ન્યાસાની તબિયત વિષે ચિંતા કરી તે બદલ આપ સહુનો આભાર. તેઓ બન્ને એકદમ ફીટ છે. તેમના સ્વાસ્થય બાબતની અફવાઓ નિરાધાર, ખોટી અને પાયાવિહોણી છે.'
અજયના પોસ્ટ બાદ ચાહકો ખુશખુશાલ થઈ ગયા હતા અને તેમને ખાતરી પણ થઈ ગઈ હશે કે આ માત્ર અફવાઓ જ છે.