06 October, 2020 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્વેતા સિંહ કીર્તિ
સુશાંતસિંહ રાજપૂતના નિધનને લઈને AIIMSએ એને સુસાઇડ જણાવતાં શ્વેતા સિંહ કીર્તિએ તેમના પર સવાલ ઉઠાવ્યા છે. AIIMSના ડૉક્ટર સુધીર ગુપ્તાએ તેમના નિવેદનને બદલ્યું છે એવું એક ન્યુઝ ચૅનલમાં દેખાડવામાં આવ્યું હતું. એ ન્યુઝનો સ્ક્રીન શૉટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શ્વેતાએ કૅપ્શન આપી હતી કે ‘જે પ્રકારે યુ-ટર્ન લેવામાં આવ્યો છે એને વિસ્તારપૂર્વક જણાવવું જોઈએ. આવું શું કામ કરવામાં આવ્યું?’