18 February, 2020 07:49 PM IST | Delhi | Mumbai Desk
રાજ્ય સભાના સાંસદ અમર સિંહને બચ્ચન કુટુંબ સાથે સંબંધો વણસ્યા હતા. જો કે અત્યારે માંદગીના બિછાને પડેલા અમરસિંહને પોતાની ભૂલ સમજાઇ હોય તેમ લાગે છે કારણકે તેમણે આજે જે એક ફેસબુક વીડિયો દ્વારા બચ્ચન પરિવારની માફી માંગતા કહ્યું હતું કે આજે પોતે જ્યારે જિંદગીના એવા મુકામ પર છે જ્યાં તે મોત અને જીવન વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે ત્યારે તેમને પોતે બચ્ચન પરિવાર માટે જે કહ્યું હતું તે અંગે ભારે પસ્તાવો થઇ રહ્યો છે.
પોતે બચ્ચન પરિવાર વિષે બેફામ વિધાન કર્યા હોવા છતાં પણ અમિતાભ બચ્ચન તેમને જન્મ દિવસે તથા પિતાની પૂણ્ય તિથી હોય ત્યારે સંદેશો મોકલે છે. અમર સિંહે પોતાના વહેવાર બદલ ખેદ વ્યક્ત કર્યો છે. અમર સિંહે ટ્વિટ પણ કર્યું હતું અને આ વાત કરી હતી.
અમર સિંહના મતે 2012માં અનિલ અંબાણીની પાર્ટીમાં એક મુદ્દે ઝગડો થયો અને મામલો બિચક્યો. બંન્ને પરિવાર વચ્ચે અંતર વધી ગયું હતું. અમર સિંહે એવું વિધાન કર્યું હતું કે બચ્ચને પોતાની પત્નીનો પક્ષ લીધો હતો અને આમ અમિતાભ બચ્ચન અને અમર સિંહ વચ્ચે વાત વણસી.
આ ઉપરાંત એક સમયે બચ્ચન પરિવારની અત્યંત નિકટ રહેલા અમર સિંહે અમિતાભ વિષે એવી ટિપ્પણી કરી હતી કે તે અને ગુનાહિત કેસિઝમાં સંડોવાયેલા છે અને પનામા પેપર્સમાં પણ તેમનું નામ આવ્યુ્ં છે. એક કાર્યક્રમમાં અમર સિંહે કંઇ એવું કહ્યું હતું કે ઐશ્વર્યા અભિષેક તો તેમની સાથે ઠીક વહેવાર કરે છે અને મને અમિતાભ સામે ફરિયાદ નથી જો કે મને તેમણે ના પાડી હોવા છતાં મેં જયા બચ્ચનને રાજકારણનાં ક્ષેત્રમાં ઉતાર્યા હતા.