10 December, 2019 04:45 PM IST | Mumbai
લતા મંગેશકર
છેલ્લા ઘણા સમયથી ભારતની દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરની તબિયત બગડતા હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. ત્યારે હાલ મળી રહેલ સમાચાર પ્રમાણે લતા મંગેશકરને હાલ હોસ્પિટલમાં રજા આપી દેવામાં આવી છે. ઘરે પરત આવ્યા બાદ લતા મંગેશકરે સોશિયલ મીડિયા પર તમામ ચાહકોનો આભાર માન્યો હતો. તેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ફોટોમાં લતા મંગેશકરની સાથે હોસ્પિટલની નર્સ પણ જોવા મળી રહી છે.
લતા મંગેશકરને ન્યુમોનિયાની તકલીફને કારણે શ્વાસ સેવાની તકલીફ પડી રહી હતી અને તેને પગલે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાર બાદ 4 અઠવાડિયાની સારવાર બાદ રવિવારે તે ઘરે પરત ફર્યા હતા. મહત્વનું છે કે, હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ લતાજીએ ટ્વિટર દ્વારા ફેન્સને તબિયત વિશે જણાવ્યું હતુ.
જાણો, લતાજીએ ટ્વિટરનું શું લખ્યું
લતાજીએ પોતાના ટ્વિટર પર લખ્યું કે, 'નમસ્કાર, છેલ્લા 28 દિવસોથી હું બ્રીચ કૈંડી હોસ્પિટલમાં હતી. મને ન્યુમોનિયા થયો હતો. ડૉકટરે કહ્યું કે, મારે હોસ્પિટલમાં રહિને જ સારવાર લેવી જોઈએ અને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ ઘરે જવું જોઈએ. માઇ અને બાબાના આશીર્વાદથી આજે હું ઘરે પરત ફરી છું.'
આ પણ જુઓ : Lataji: યાદ કરીએ લતાજીના કંઠે ગવાયેલા ગુજરાતી ગીતોને...
બોલિવુડ સેલેબ્સે પણ લતાજીના પરત ફર્યા બાદ ખુશી વ્યક્ત કરી
લતા મંગેશકરના ઘરે પરત ફરવા પર બોલિવૂડ સેલેબ્સે પણ ખુશી વ્યક્ત કરી છે. લતા મંગેશકરના ભાઈ અભિનેતા દિલીપ કુમારે પણ તેમની સ્વસ્થતા પર ખુશી વ્યક્ત કરી હતી. દિલીપ કુમારે ટ્વિટ કરતા કહ્યું કે 'એ સાંભળીને આનંદ થયો કે મારી નાની બહેન લતાની તબિયત સારી છે અને હવે તે તેના ઘરે છે. કૃપા કરીને તમારી સંભાળ રાખો'.