છ નેગેટિવ લોકોથી દૂર રહેવાની સલાહ આપી અમિતાભ બચ્ચને

17 July, 2020 08:01 PM IST  |  Mumbai Desk | Agencies

છ નેગેટિવ લોકોથી દૂર રહેવાની સલાહ આપી અમિતાભ બચ્ચને

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને લોકોને સલાહ આપી છે કે નેગેટિવ સ્વભાવ ધરાવતા છ લોકોથી દૂર રહેવું જોઈએ. તેઓ હાલમાં નાણાવટી હૉસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે. ડૉક્ટરોની નિઃસ્વાર્થ સેવા માટે તેમણે આભાર માન્યો હતો. કેવા લોકોથી દૂર રહેવું જોઈએ એ વિશે ટ્વિટર પર અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘જે લોકો ઈર્ષાળુ હોય, અન્ય લોકોને નાપસંદ કરતા હોય, હંમેશાં અસંતુષ્ટ હોય, ગુસ્સાવાળા, શંકાસ્પદ અને અન્ય લોકો પર નિર્ભર હોય એવા છ પ્રકારના લોકો હંમેશાં દુઃખી જ રહેતા હોય છે. એથી જો શક્ય હોય તો આવા લોકોથી અંતર રાખવું જોઈએ.’

bollywood bollywood news bollywood gossips amitabh bachchan