ફ્લૅટની કિંમત ઓછી આંકતા મીડિયા પર કટાક્ષ કર્યો આદિત્ય નારાયણે

10 December, 2020 06:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્લૅટની કિંમત ઓછી આંકતા મીડિયા પર કટાક્ષ કર્યો આદિત્ય નારાયણે

આદિત્ય નારાયણ

આદિત્ય નારાયણે તાજેતરમાં જ એક ફ્લૅટ ખરીદ્યો છે, જેની કિંમત મીડિયાએ ઓછી આંકતાં જણાવ્યું કે તેમણે માર્કેટ પ્રાઇસ ઓછી લખી છે. તેણે અંધેરીમાં 5 બીએચકે આલિશાન ફ્લૅટ 10.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેના પેરન્ટ્સથી 3 બિલ્ડિંગ દૂર તેનું આ નવું ઘર છે. આદિત્યએ તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે 1 ડિસેમ્બરે લગ્ન કર્યાં હતાં અને તેઓ હવે નવા ઘરમાં રહેવા જશે. ફ્લૅટની કિંમતને લઈને આદિત્યએ કહ્યું હતું કે ‘હા, હા ખૂબ જ ઓછી કિંમત ગણી છે. માર્કેટ પ્રાઇસ ઓછી લખી છે. એની ખરી કિંમત તો 10.5 કરોડ રૂપિયા છે. હું બાળપણથી જ કામ કરી રહ્યો છું. ટેલિવિઝનને કારણે મને ઘણુંબધું મળ્યું છે. મેં અંધેરીમાં જ 5 બીએચકે ફ્લૅટ મારી ફૅમિલીથી માત્ર 3 બિલ્ડિંગના અંતરે ખરીદ્યો છે. અમે 3-4 મહિનામાં ત્યાં શિફ્ટ થઈશું. મારા પેરન્ટ્સ તો ખૂબ જ નજીક છે.’

entertainment news bollywood bollywood news aditya narayan