પોતાની મહાભારતમાં કૃષ્ણ બનશે આમિર, શાહરૂખે કરી પુષ્ટિ

14 January, 2019 04:09 PM IST  | 

પોતાની મહાભારતમાં કૃષ્ણ બનશે આમિર, શાહરૂખે કરી પુષ્ટિ

આમિર ખાન ભજવશે કૃષ્ણની ભૂમિકા


આમિરની છેલ્લી ફિલ્મ 'ઠગ્સ ઑફ હિંદોસ્તાન' બૉક્સ ઑફિસ પર ઉંધા માથે પટકાઈ તે બાદ અહેવાલો આવ્યા હતા કે હવે આમિર ખાન પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ શરૂ કરશે. હાલમાં જ શાહરુખ ખાને આ વાતની પુષ્ટિ કરી છે. શાહરુખના નિવેદન પરથી આમિરે પ્રોજેક્ટર પર કામ શરૂ કર્યું હોવાની ખાતરી થઈ સાથે જ ફિલ્મમાં આમિરની ભૂમિકા પણ સ્પષ્ટ થઈ છે.

શાહરૂખ ખાનને એક ઈવેન્ટમાં તેમના ડ્રીમ રોલ વિશે પુછવામાં આવ્યું ત્યારે શાહરૂખે કહ્યું કે તેમની ઈચ્છા છે કે તેઓ મોટા પડદા પર એકવાર ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવે. શાહરૂખે પોતાની વાત આગળ વધારતા એમ પણ કહ્યું કે તે એવું નહીં કરી શકે. કારણ કે એ ભૂમિકા તો આમિર ખાન ભજવી રહ્યા છે. શાહરૂખના આ નિવેદન પરથી એ વાતના સંકેત તો મળી ગયા છે કે આમિરની મહાભારત બની રહી છે.

આ પહેલા એ વાતનો પણ સંકેત મળ્યો હતો કે આમિરે મહાભારત માટે રાકેશ શર્માની  બાયોપિક છોડી છે. આમિર ખાનની મહાભારત લગભગ એક હજાર કરોડના ખર્ચે બનવાની છે. જેમાં રોકાણ મુકેશ અંબાણી કરશે. જો કે હજુ સુધી તેની કોઈ આધિકારીક સૂચના નથી મળી. મહાભારત પાંચ ભાગમાં બનશે.

આ પણ વાંચોઃ 'ગેમ ઑફ થ્રોન્સ' સીઝન 8નું નવું ટીઝર રિલીઝ, 14 એપ્રિલે થશે ઓન એર

આમિર ખાને આ જ ફિલ્મના કારણે દેશના પહેલા અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માના જીવન પર બનનારી ફિલ્મમાં કામ કરવાનો પોતાનો ઈરાદો બદલી નાખ્યો હતો અને નક્કી કર્યું હતું કે આગામી 10 વર્ષ સુધી તે મહાભારત પર જ કામ કરશે. આમિર મહાભારતની અલગ અલગ કહાનીઓ પર પાંચ અલગ અલગ ફિલ્મ બનાવવા માંગે છે. પોતાના ડ્રીમ પ્રોજેક્ટને પ્રોડ્યૂસ પણ આમિર ખાન જ કરવાના છે અને કદાચ કેટલાક ભાગોનું ડાયરેક્શન પણ કરી શકે. સૂત્રોથી મળતા અહેવાલો પ્રમાણે આ સીરિઝની પહેલી ફિલ્મનું ડાયરેક્શન અદ્વૈત ચંદન કરી શકે છે, જેમણે સીક્રેટ સુપરસ્ટારનું ડાયરેક્શન કર્યું હતું. કેટલાક સમય પહેલા એવી પણ ખબરો હતી કે આમિર ખાન શ્રીકૃષ્ણની ભૂમિકામાં નજર આવી શકે છે પરંતુ તેમનું મોસ્ટ ફેવરિટ કિરદાર કર્ણ છે.

aamir khan Shah Rukh Khan bollywood news