MeTooના આરોપી સાથે કામ કરવા જઈ રહ્યા છે આમિર, ભડકી તનુશ્રી દત્તા

11 September, 2019 04:58 PM IST  |  મુંબઈ

MeTooના આરોપી સાથે કામ કરવા જઈ રહ્યા છે આમિર, ભડકી તનુશ્રી દત્તા

MeTooના આરોપી સાથે કામ કરવા જઈ રહ્યા છે આમિર

મંગળવારે અભિનેતા આમિર ખાને તમામ લોકોને ચોંકાવતા જાહેરાત કરી કે તે મહિલા દ્વારા યૌન ઉત્પીડનનું આરોપ લગાવનાર નિર્દેશક સુભાષ કપૂરના નિર્દેશનમાં બનનારી ફિલ્મ મુગલમાં કામ કરશે. ટીવી અભિનેત્રી ગીતિકા ત્યાગીએ ફિલ્મ નિર્દેશક સુભાષ કપૂર પર 2014માં યૌન દુરાચારનો આરોપ લગાવ્યો હતો.

સુભાષ કપૂરનું નામ મી ટૂ આંદોલનમાં સામે આવ્યા બાદ આમિર ખાને ફિલ્મ મુગલમાંથી પોતાનું નામ પાછળ ખેંચતા કથિત યૌન ઉત્પીડક સાથે કામ ન કરવાનું પસંદ કર્યું.

હવે આમિરના આ નિર્ણયથી ગીતિકા ત્યાગીને ખરાબ લાગ્યું છે. તેમણે મિડ ડેને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાની નિરાશા વ્યક્ત કરી છે. આ વિશે જણઆવતા ગીતિકા ત્યાગીએ કહ્યું કે, "મે કિરણ રાવ અને આમિર ખાનના ગયા વર્ષે વખાણ કર્યા હતા કારણ કે આમિર ખાનના કામ ન કરવાના નિર્ણયથી અનેક મહિલાઓને બળ પ્રાપ્ત થયું હતું. જેનાથી વધારે મહિલાઓને પોતાની આપવીતી જણાવવાની આશા જાગી હતી. પરંતુ હવે આમિર ખાનના નિર્ણયથી તમામ પર પાણી ફરી ગયું છે. તેમણે બંને પક્ષોની વાત સાંભળીને નિર્ણય લેવો જોઈતો હતો."

ગીતિકા ત્યાગીએ આગળ કહ્યું કે, આ ઈન્ડસ્ટ્રી પુરૂષ પ્રધાન છે. હંમેશા યૌન દુરાચારની વાત કરવા પણ મહિલાઓનું જ શોષણ થાય છે. જ્યારે તેઓ ફરિયાદ કરે છે ત્યારે તેમને સાઈડલાઈન કરવામાં આવે છે. આમિર ખાનની એ વાત કે જ્યાં સુધી દોષ સાબિત નથી થતો, તેને દોષી ન માનવો જોઈએ, વાળી વાત ખોટી છે. 2014 બાદ મને કામ મળવાનું બંધ થઈ ગયું છે. અપરાધી મામલામાં લાગે છે કે આ જ સચ્ચાઈ છે.

આ પણ જુઓઃ ગોપી વહુ થી ગોપિકા સુધી, આવી છે Gia Manekની સફર....

આમિર ખાનને નિશાને લેતા તનુશ્રી દત્તાએ કહ્યું કે,મેં આમિર ખાન માટે આખા પેરેગ્રાફને વાંચ્યો છે. એ જણાવતા કે તેઓ સુભાષ કપૂર સાથે કેમ કામ કરી રહ્યા છે. હું એક સવાલ પૂછવા માંગુ છું કે કેમ બોલીવુડમાં કોઈની રાતોની નીંદર હરામ નથી થતી, જ્યારે એક યુવતી ઉત્પીડનનો સ્વીકાર થઈ જાય છે અને તેને કામ મળવાનું બંધ થઈ જાય છે?


aamir khan tanushree dutta