નરેન્દ્ર મોદી બાદ હવે યોગી આદિત્યનાથ પર આવી રહી છે ફિલ્મ

03 May, 2019 10:17 AM IST  |  મુંબઈ

નરેન્દ્ર મોદી બાદ હવે યોગી આદિત્યનાથ પર આવી રહી છે ફિલ્મ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી બાયોપિક હજીય રિલીઝ નથી થઈ. જો કે ચૂંટણી પૂરી થયા બાદ ફિલ્મ રિલીઝ થાય તેવી શક્યતા છે. પરંતુ આ સાથે જ બોલીવુડમાં રાજકીય નેતાઓની બાયોપિક બનાવવાનો ટ્રેન્ડ શરૂ થઈ ચૂક્યો છે.

લેટેસ્ટ ઈન્ફોર્મેશન પ્રમાણે એક્ટર કુમુદ મિશ્રા હવે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના જીવન પરથી આધારિત પાત્ર ભજવતા દેખાશે. કુમુદ મિશ્રાએ એરલિફ્ટ અને રોકસ્ટાર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. મળતી માહિતી પ્રમાણે કુમુદ મિશ્રાની આ ફિલ્મ બનારસના બેકડ્રોપ પર આધારિત હશે, જેમાં સ્થાનિકોનું જીવન દર્શાવાશે.

જો કે ડિરેક્ટર ઝૈઘમ ઈમામે ફિલ્મ અને કુમુદ મિશ્રાના કેરેક્ટર વિશે વધુ માહિતી આપતા કહ્યું કે,'કુમુદ મિશ્રા બનારસના સ્થાનિક નેતાનું પાત્ર ભજવશે. આ કેરેક્ટર યોગી આદિત્યનાથના જીવન પરથી આધારિત છે, અને તે પોઝિટિવ હશે. આ પાત્ર એવી રીતે ડિઝાઈન કરાયું છે કે દર્શકોને તેમની હાજરી ગમશે.'

આ પણ વાંચોઃ આ છે બોલીવુડ સેલેબ્સના સૌથી ક્યુટ બાળકો, જુઓ ફોટોઝ

ડિરેક્ટરે માહિતી આપી કે ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળી ગયું છે. ઝૈઘમ ઈમામે કહ્યું,'ફિલ્મ આવતા મહિને રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મ કેવી છે એ તો હવે દર્શકો જ નક્કી કરશે.'

yogi adityanath bollywood entertaintment