માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરીને વિશાલ દાદલાણીએ જીત્યા દિલ

21 November, 2019 02:42 PM IST  |  Mumbai

માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરીને વિશાલ દાદલાણીએ જીત્યા દિલ

વિશાલ દાદલાણી

તાપસી પન્નૂ, રિચા ચઢ્ઢા, શશિ થરૂર જેવા લોકોએ તાજેતરમાં સ્ટેન્ડ-અપ કૉમેડી પર હાથ અજમાવ્યો અને પોતાની હ્યુમરથી લોકોને હસાવ્યા. પરંતુ સંગીતકાર વિશાલ દાદલાણીએ આ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો એવા મુદ્દા પર વાત કરવા માટે જેના વિશે તેઓ અવાર નવાર પોસ્ટ કરતા રહે છે. વિશાલે માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર પર વાત કરી. જેમાં તેણે વધારે પડતી ચિંતાના કારણે તેમની જે સ્થિતિ થઈ હતી તેના પર પણ ખુલીને વાત કરી.

વિશાલના આ પગલાં બાદ તેના ચાહકો તેનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચાહકો વિશાલને ખાસ મેસેજ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું કે, તેણીને એ જાણીને સારું લાગ્યું કે આ વિશે વાત કરવું યોગ્ય છે. તો અન્ય એક ચાહકે એવું પણ લખ્યું કે, માનસિક સ્વાસ્થ્ય પર સામાન્ય મુદ્દાની જેમ વાત કરવા બદલ તમારો ધન્યવાદ. વિશાલ દાદલાણીએ સ્ટેન્ડપ કૉમેડી શોમાં આ વિશે વાત કરી હતી. જેને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો.

આ પણ જુઓઃ ગળાડૂબ પ્રેમમાં છે Aishwarya Majmudar, જુઓ તેના મનના માણીગર સાથેની ખાસ તસવીરો.

વિશાલ દાદલાણીએ આ વિશે વાત કરતા જણાવ્યું કે, "મને આશા છે કે લોકો તેની સાથે લડવાનો રસ્તો શોધી શકશે, થેરાપીના કે કોઈપણ અન્ય માધ્યમથી. આ પહેલું પગલું છે. આપણામાંથી કેટલાક લોકોને જાહેર મંચ પર આ વિશે બોલવાની તક મળે છે. મને ખબર નથી કે મે કૉમેડી યોગ્ય રીતે કરી કે નહીં. પરંતુ લાગે છે કે અમે આ દિશામાં થોડું કામ કરી શક્યા છે અને મારા માટે તે જીત બરાબર છે."

vishal dadlani entertaintment