11 June, 2019 11:02 AM IST | મુંબઈ
જયલલિતા પર બનનારી ફિલ્મમાંથી વિદ્યા 'આઉટ', કંગના 'ઈન'
ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલન(Vidya Balan) ફિલ્મ જયલલિતા(Jayalalitha)માં ટાઈટલ ભૂમિકા નિભાવવાની હતી પરંતુ હવે તે ફિલ્મમાંથી બહાર થઈ ગઈ છે. જેના માટે તે પોતાની ભૂમિકાને લઈને વધુ સવાલો કરતી હોવાનું કારણ આપવામાં આવ્યું છે. હવે આ ભૂમિકામાં વિદ્યા બાલનની જગ્યાએ કંગના રણાવત (Kangana Ranaut)ને લેવામાં આવી છે. મહત્વનું છે કે ફિલ્મ જયલલિતા માટે વિદ્યા બાલન પહેલી પસંદ હતી અને તેણે લગભગ આ ફિલ્મ સાઈન પણ કરી લીધી હતી. જો કે હવે તેને અચાનક બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.
તમામ લોકોના મનમાં હતો સવાલ
આ વાતનો પ્રશ્ન તમામ લોકોના મનમાં હતો પરંતુ હવે તેનો જવાબ લોકોને મળી ગયો છે કે વિદ્યા બાલન ફિલ્મ નિર્માતાઓને વધારે પ્રશ્નો પુછતી હતી. જેનાથી ફિલ્મના નિર્માતા અસહજ હતા. જેથી તેમણે વિદ્યાને બહારનો રસ્તો બતાવવો જ યોગ્ય સમસજ્યું.
વિદ્યા કરી રહી હતી અનેક સવાલ
એક અહેવાલ અનુસાર જયલલિતાના જીવન પર હોવાના કારણે અનેક પ્રશ્નોને લઈ નિર્માતા પોતે જ સંકોચમાં હતી અને તે પોતે અનેક સવાલોનો જવાબ શોધી રહ્યા છે. ત્યારે વિદ્યાએ પણ સવાલ કરતા તેને ફિલ્મ ગુમાવવી પડી છે.
આ પણ વાંચોઃ બૉડી-શેમિંગ પર પ્રહાર કર્યા વિદ્યા બાલને
કંગનાને થયો ફાયદો
નિર્માતા અને વિદ્યા વચ્ચેના આ વિવાદનો ફાયદો કંગનાને થયો છે. વિદ્યા બાલન ફિલ્મમાંથી આઉટ થયા બાદ કંગનાને આ ફિલ્મ મળી છે અને આ ફિલ્મ માટે તેને તગડી ફી પણ ચુકવવામાં આવી છે. આ ફિલ્મ માટે તેનું નામ ફિલ્મના લેખકે જ સુચવ્યું હતું. કંગના હાલ પોતાની આગામી ફિલ્મ મેન્ટલ હૈ ક્યાના શૂટિંગમાં વ્યસ્ત છે.