બૉલીવુડમાં કરીઅર બનાવવા માટે નસીબનો સાથ પણ જરૂરી છે: દિવ્યેન્દુ શર્મા

14 May, 2019 12:04 PM IST  |  મુંબઈ

બૉલીવુડમાં કરીઅર બનાવવા માટે નસીબનો સાથ પણ જરૂરી છે: દિવ્યેન્દુ શર્મા

દિવ્યેન્દુ શર્મા

‘પ્યાર કા પંચનામા’થી બૉલીવુડમાં એન્ટ્રી કરનાર દિવ્યેન્દુનું કહેવું છે કે ફિલ્મોમાં કરીઅર બનાવવા માટે ભાગ્ય પણ સાથ આપે એ જરૂરી છે. દિવ્યેન્દુએ ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’ અને ‘બત્તી ગુલ મીટર ચાલુ’માં કામ કર્યું હતું. બૉલીવુડ વિશે વધુ જણાવતાં દિવ્યેન્દુએ કહ્યું હતું કે ‘અમારી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં અમે નસીબ વિશે વધુ ચર્ચા કરીએ છીએ, કારણ કે આ માત્ર યોગ્યતા પર આધારિત કામ નથી. જો તમે લક હો અને તમારી ફિલ્મો જો એટલી ગ્રેટ ન હોય, એની કોઈ આર્કાઇવ વૅલ્યુ ન પણ હોય તો પણ તમને સારી ફિલ્મોની ઑફર મળશે. એવા કેટલાય ઍક્ટર્સ છે જેમને આપણે આજે પ‌ણ સારા કલાકાર તરીકે યાદ કરીએ છીએ. જોકે એનો અર્થ એ નથી કે તે બધા જ કોઈ ને કોઈ પ્રોજેક્ટમાં વ્યસ્ત હોય. હું તેમની નિંદા નથી કરતો. હું સખત મહેનત કરવા માટે પ્રેરિત થાઉં છું, કારણ કે ક્રિટિક્સ મારા કામની પ્રશંસા કરે છે. મારા દર્શકો પણ મારા કામને વખાણે છે. હું આ ઇન્ડસ્ટ્રીમાં એક ઍક્ટર બનવા માટે આવ્યો છું. મારા એ લક્ષ તરફ જ હું આગળ વધી રહ્યો છું.’

bollywood news divyendu sharma