અફેરની અફવા માટે પહેલેથી તૈયાર હોવાની વાત કહી તારા સૂતરિયાએ

21 June, 2019 09:53 AM IST  | 

અફેરની અફવા માટે પહેલેથી તૈયાર હોવાની વાત કહી તારા સૂતરિયાએ

તારા સૂતરિયા

તારા સૂતરિયાએ તાજેતરમાં જણાવ્યું હતું કે અફેરની ચર્ચાઓને પહેલેથી જ સ્વીકારવાનું કહ્યું હતું. તેણે એમ પણ જણાવ્યું કે આ બધું તો કામનો જ ભાગ છે. તારા તેની આગામી ફિલ્મ ‘મરજાવાં’માં દેખાવાની છે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળશે. આ ફિલ્મની જાહેરાત થતાં બન્નેના અફેરની ચર્ચાઓએ વેગ પકડ્યો હતો.

આ પણ વાંચો : દીપિકા સિંહે વૅનિટી વૅનને જ યોગ સ્ટુડિયો બનાવ્યો છે

આ વિશે તારાએ કહ્યું હતું કે ‘ખરું કહું તો અમને પહેલેથી જ આ બાબત વિશે કહેવામાં આવ્યું હતું. સાથે એમ પણ જણાવવામાં આવ્યું હતું કે આ વસ્તુનો સ્વીકાર કરવાનો રહેશે. સિદ્ધાર્થ વિશે એટલું કહીશ કે તે અનોખો અને સારો માણસ છે. હું તેની સાથે ‘મરજાવાં’ બીજી ફિલ્મ કરી રહી છું. બસ હું આટલું જ કહીશ.’

Tara Sutaria bollywood news