26 February, 2019 11:59 AM IST |
સોનુ સુદ
સોનુ સુદનું કહેવું છે કે સૈનિકો આપણા દેશના રિયલ હીરો છે. પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ શહીદોના પરિવારને મળવા માટે સોનુ સુદ મળવા પહોંચ્યો હતો. એ દરમ્યાન સોનુએ કહ્યું હતું કે ‘હું માનું છું કે દેશના રિયલ હીરો આપણા બહાદુર સૈનિકો છે. તેઓ આપણી સુરક્ષા માટે તેમના ઘરપરિવારને છોડે છે. તેઓ એ પણ જાણે છે કે તેમને પોતાના પરિવાર સાથે ખૂબ ઓછો સમય વિતાવવા મળવાનો છે. આમ છતાં તેઓ પોતાના કુટુંબને છોડીને દિવસરાત આપણી સલામતીની ફરજ નિભાવે છે.
આ પણ વાંચો : ચશ્મે બદ્દૂરની સીક્વલમાં જોવા મળશે જૅકલિન ફર્નાન્ડિસ?
જ્યારે પણ પુલવામા જેવી ઘટનાઓ બને છે ત્યારે આપણે વિચારીએ છીએ કે આપણા સૈનિકો આપણા માટે ઘણુંબધું કરે છે પરંતુ આપણે તેમના માટે કંઈ કરી નથી શકતા. એથી મને લાગે છે કે આ જ ખરો સમય છે જ્યારે આપણે ભેગા મળીને એ વાતની ખાતરી કરીએ કે તેમના પરિવારની કાળજી લેવામાં આવે, જેથી આપણા બાહોશ સૈનિકો નિશ્ચિંત રહે.’