અક્ષયને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે ભૂલભુલૈયા 2ની સ્ક્રિપ્ટ : અનીસ

01 September, 2019 10:52 AM IST  |  મુંબઈ | સોનિલ દેઢિયા

અક્ષયને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે ભૂલભુલૈયા 2ની સ્ક્રિપ્ટ : અનીસ

અક્ષયકુમાર

‘ભૂલભુલૈયા 2’નાં ડિરેક્ટર અનીસ બઝમીનું કહેવું છે કે અક્ષયકુમારને પણ આ ફિલ્મમાં કાસ્ટ કરી શકાય એ રીતે સ્ક્રિપ્ટ લખવામાં આવી રહી છે. આ ફિલ્મ ૨૦૦૭માં આવેલી અક્ષયકુમાર અને વિદ્યા બાલનની ‘ભુલભુલૈયા’ની સીક્વલ છે. આ સીક્વલને અનીસ બઝમી ડિરેક્ટ કરશે. ફિલ્મની સ્ક્રિપ્ટ ફરહાદ સામજી અને આકાશ કૌશિક લખી રહ્યા છે.

સ્ક્રિપ્ટને લઈને અનીસ બઝમીએ કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં જો અક્ષય સર આવી જાય તો હું સૌથી વધુ ખુશ થઈશ. મેં તેમની સાથે ભૂતકાળમાં પણ કામ કર્યું હતું. (૨૦૦૮માં ‘સિંઘ ઇઝ કિંગ’ અને ૨૦૦૭માં ‘વેલકમ’) અમારી વચ્ચે સારા સંબંધો છે. અમે હજી સુધી ફિલ્મની સ્ક્રિપ્ટ પૂરી નથી કરી. અમે એવો પ્રયાસ કરી રહ્યા છીએ કે એવું પાત્ર લખવામાં આવે કે જેમાં તેઓ બંધ બેસે.

આ પણ વાંચો : મારે ક્યારેય હીરોની સાઇડકિક નથી બનવુ : કંગના રનોટ

સાથે જ તે પહેલા પાર્ટ સાથે પણ સિન્ક થઈ જાય. હું આશા રાખુ છું કે તેમને એ પાત્ર પસંદ પડશે અને એને કરવામાટે પણ તેઓ રાજી થઈ જશે.’

anees bazmee akshay kumar bollywood news sonil dedhia