જોશમાં હોશ ન ખોઈ બેસીએ એનું આપણે ધ્યાન રાખવું પડશે: શત્રુઘ્ન સિંહા

20 February, 2019 08:19 AM IST  | 

જોશમાં હોશ ન ખોઈ બેસીએ એનું આપણે ધ્યાન રાખવું પડશે: શત્રુઘ્ન સિંહા

શત્રુઘ્ન સિંહા

શત્રુઘ્ન સિંહાનું કહેવું છે કે પુલવામા હુમલાને લઈને આપણે કોઈ ઉતાવળભર્યું પગલું ન લેવું જોઈએ. પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા. આ વિશે પૂછતાં શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે ‘જોશ મેં કહીં આપ હોશ ના ખો બૈઠે. પુલવામામાં જે થયું એના કારણે લોકોમાં દુ:ખ અને ગુસ્સો છે એ હું સમજી શકું છું. આ ખૂબ જ કાયરતાભર્યો હુમલો હતો. આપણે એને સમય આવ્યે જવાબ આપીશું. આ ઘાતકી હુમલાનો જવાબ આપણે ખૂબ જ જોરદાર રીતે આપીશું એવી આપણા પ્રાઇમ મિનિસ્ટરે ખાતરી આપી છે. આપણે જુસ્સામાં આવીને કોઈ પગલું નહીં ભરીએ. તમામ ભારતીયો દુ:ખી છે અને તેમને ખૂબ આઘાત લાગ્યો છે. આપણે કોઈ પણ પગલું ભરીએ એ પહેલાં શાંતિથી વિચારવું જોઈએ.’

આ પણ વાંચો : Boycott Kapil Sharma સોશિયલ મીડિયા પર છે ટ્રેન્ડિંગ

ભારત મોહમ્મદ રફી, કિશોરકુમાર, લતા મંગેશકર અને આશા ભોસલેનો દેશ છે. અન્ય દેશના સિંગર્સની આપણને જરૂર શું છે?

- શત્રુઘ્ન સિંહા, પાકિસ્તાની સિંગર્સ સાથે કામ કરવા વિશે

shatrughan sinha pulwama district terror attack