સલમાન ખાનને શુક્રવારે કોર્ટમાં થવું પડશે રજૂ, નહીં તો જામીન થઈ જશે રદ્દ

26 September, 2019 08:47 PM IST  |  મુંબઈ

સલમાન ખાનને શુક્રવારે કોર્ટમાં થવું પડશે રજૂ, નહીં તો જામીન થઈ જશે રદ્દ

કાળિયાર શિકાર કેસની શુક્રવારે સુનાવણી...

કાળિયારના શિકાર મામલામાં જોધપુરની અદાલતે સલમાન ખાનને કોર્ટમાં રજૂ થવાનો આદેશ છે. આ મામલે 2018માં અદાલતે સલમાન ખાનને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. સલમાન આ કેસમાં જામીન પર બહાર છે. જાણકારી પ્રમાણે કોર્ટે સલમાન ખાનને 27 સપ્ટેમ્બરે રજૂ થવાનું છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો તે કોર્ટમાં નહીં આવે તો તેના જામીન રદ્દ કરવામાં આવશે.

આ પણ જુઓઃ Vogue Beauty Awards: જુઓ બૉલીવુડ અભિનેત્રીઓનો ગ્લેમરસ અંદાજ

આ પહેલા આ વર્ષે જુલાઈમાં જોધપુર કોર્ટે અદાલતમાં હાજર ન રહેવા બદલ સલમાન ખાનને ચેતવણી આપી હતી. રિપોર્ટ પ્રમાણે ન્યાયાધીશ ચંદ્ર કુમારે સલમાન ખાનના વકીલને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, તેઓ ધ્યાન રાખે કે 3 જુલાઈની સુનાવણી દરમિયાન સલમાન હાજર રહે. પરંતુ સલમાન અદાલત સામે હાજર રહેવામાં નિષ્ફળ રહ્યા હતા. જે પર અદાલતે નારાજગી પણ વ્યક્ત કરી હતી.

salman khan controversies Salman Khan