24 August, 2019 01:43 PM IST | મુંબઈ
સૈફ અલી ખાન, નવાઝુદ્દિન સિદ્દીકી અને પંકજ ત્રિપાઠી સ્ટારર નેટફ્લિક્સની ઓરિજિનલ વેબસિરીઝ સેક્રેડ ગેમ્સની બીજી સિઝન 15 ઓગસ્ટે રિલીઝ થઈ ચૂકી છે. આ બીજી સિઝનમાં દરેક વ્યૂઅર્સને આશા હતી કે આ વખતે તો તમામ રહસ્ય ખુલ્લા પડી જ જશે. પરંતુ વેબસિરીઝના મેકર્સે ફરી ફેન્સને આશંકામાં છોડી દીધા છે. ત્યારે સેક્રેડ ગેમ્સની આગામી સ્ટોરી શું હશે તેના પર પણ ચર્ચા શરૂ થઈ ચૂકી છે. આગામી સિઝનની રોમાંચક સ્ટોરી અંગે રાઈટ્રસે બે જુદી જુદી થિયરી આપી છે.
હાફ પોસ્ટને આપેલા એક ઈન્ટરવ્યુમાં સિરીઝના રાઈટર વરુણ ગ્રોવરે ક્લાઈમેક્સ અંગે વાત કરવા દરમિયાન તેમણે સેક્રેડ ગેમ્સની ત્રીજી સિઝન માટે બે જુદી જુદી થિયરી આપી છે.
1- પહેલી થિયરીમાં વરુણ ગ્રોવરે કહ્યું કે સરતાજ સિંહ પોતાના પિતાની હેન્ડ પેટર્નનો ઉપયોગ કરીને બોમ્બ ડિફ્યુઝ કરે છે, અને મુંબઈ બચી જાય છે.
2- સિઝન 2ના એન્ડમાં સરતાજને 'અહમ બ્રહ્માસ્મિ' કહેતા બતાવાયા છે, જેનાથી પણ વ્યુઅર્સને શંકા છે કે સૈફ અલી ખાન પણ ગુરુજીના પ્લાનમાં સામેલ થઈ જાય છે અને સતયુગને લાવવા પોતાનું બલિદાન આપે છે. આગામી સિઝનમાં બાત્યા નવી ગુરુજી બને છે. સરતાજ બાત્યા માટે બલિદાન આપે છે. અને સતયુગની શરૂઆત થઈ જાય છે.
આ પણ વાંચોઃ બાળપણમાં આવા લાગતા હતા આપણા બોલીવુડ સ્ટાર્સ
હવે સેક્રેડ ગેમ્સ થ્રીની સ્ટોરી કઈ થિયરી પર આધારિત હશે તે જોવા માટે તો રાહ જોવી જ પડશે.