પીયૂષ ગોયલની કમેન્ટનો વળતો જવાબ આપ્યો રિતેશ દેશમુખે

15 May, 2019 10:04 AM IST  |  મુંબઈ

પીયૂષ ગોયલની કમેન્ટનો વળતો જવાબ આપ્યો રિતેશ દેશમુખે

રિતેશ વિલાસરાવ દેશમુખ

યુનિયન મિનિસ્ટર પીયૂષ ગોયેલને રિતેશ દેશમુખે સોમવારે વળતો જવાબ આપ્યો હતો. પીયૂષ ગોયલે કહ્યું હતું કે ૨૦૦૮માં જ્યારે મુંબઈમાં ડેડલી અટૅક થયો હતો ત્યારે મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર વિલાસરાવ દેશમુખ તેમના દીકરાની ફિલ્મી કરીઅર માટે વ્યસ્ત હતા. આ વિશે રિતેશે ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘માનનીય મિનિસ્ટર, તમે કહ્યું એ વાત સાચી છે કે મેં તાજ-ઑબેરૉય હોટેલની મુલાકાત લીધી હતી, પરંતુ એ ખોટી વાત છે કે શૂટિંગ અને બૉમ્બિંગ થઈ રહ્યું હતું ત્યારે અમે ત્યાં હતા.

આ પણ વાંચો : મહિલાને એકીટસે જોતા અજય દેવગનને ટૉન્ટ મારે છે કાજોલ

એ સાચી વાત છે કે હું મારા પપ્પા સાથે હતો, પરંતુ એ વાત ખોટી છે કે તેઓ મને ફિલ્મમાં રોલ અપાવવા માટે મીટિંગ કરી રહ્યા હતા. ફિલ્મમાં મને રોલ મળે એ માટે તેમણે કોઈ પણ દિવસ કોઈ ડિરેક્ટર કે પ્રોડ્યુસર સાથે વાત નહોતી કરી અને એના પર મને ગર્વ છે. કોઈ પણ ચીફ મિનિસ્ટરને સવાલ કરવા માટે તમારી પાસે હક છે, પરંતુ એ યોગ્ય નથી, જ્યારે જે-તે વ્યક્તિ તેનો બચાવ કરવા માટે હાજર નથી. થોડું મોડું થઈ ગયું, સાત વર્ષ પહેલાં તમે પૂછ્યું હોત તેમણે જવાબ આપ્યો હોત. તમારા કૅમ્પેન માટે ઘણી-ઘણી શુભેચ્છાઓ સર. લવ અને રિગાર્ડ્સ - રિતેશ વિલાસરાવ દેશમુખ.’

riteish deshmukh piyush goyal bollywood news