રેખા ભારદ્વાજ અને હર્ષદીપ કૌરે પાકિસ્તાનમાં શો કર્યો કૅન્સલ

19 February, 2019 11:00 AM IST  | 

રેખા ભારદ્વાજ અને હર્ષદીપ કૌરે પાકિસ્તાનમાં શો કર્યો કૅન્સલ

સિંગર રેખા ભારદ્વાજ

સિંગર રેખા ભારદ્વાજ અને હર્ષદીપ કૌરે તેમની લાહોરની ઇવેન્ટને કૅન્સલ કરી દીધી છે. તેમને ૨૧ અને ૨૨ માર્ચે લાહોરમાં યોજાઈ રહેલી શાન-એ-પાકિસ્તાન ૨૦૧૯ની ગાલામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. ‘હીર’ અને ‘દિલબરો’ જેવાં ગીતો ગાનાર હર્ષદીપે આ શો કૅન્સલ કર્યો છે. રેખા ભારદ્વાજ ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજની પત્ની છે અને તેણે ‘ગેંદા ફૂલ’, ‘કબીરા’ અને ‘ઘાગરા’ જેવાં ગીતો ગાયાં છે. પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને કારણે તેણે પણ આ ઇવેન્ટમાં હાજરી આપવાની ના પાડી દીધી છે. આ વિશે રેખા ભારદ્વાજે કહ્યું હતું કે પુલવામામાં થયેલા હુમલા બાદ મેં અમારો પાકિસ્તાનનો શો કૅન્સલ કરી દીધો હતો.

bollywood news