ઉરી દ્વારા શહીદો માટે કરવામાં આવ્યું એક કરોડ રૂપિયાનું દાન

19 February, 2019 10:42 AM IST  | 

ઉરી દ્વારા શહીદો માટે કરવામાં આવ્યું એક કરોડ રૂપિયાનું દાન

રૉની સ્ક્રૂવાલા અને ‘ઉરી’ની ટીમ દ્વારા શહીદોના પરિવાર માટે એક કરોડ રૂપિયાનું દાન

રૉની સ્ક્રૂવાલા દ્વારા પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવાર માટે એક કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે. રૉની સ્ક્રૂવાલાએ ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ને પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મ પણ ટેરરિસ્ટ અટૅક બાદ ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઇક પર બનાવવામાં આવી હતી. આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ વધાવી હતી. એથી રૉની સ્ક્રૂવાલા અને ‘ઉરી’ની ટીમ દ્વારા શહીદોના પરિવાર માટે એક કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે. આ સમાચાર રૉની સ્ક્રૂવાલાએ તેના ટ્વિટર અકાઉન્ટ પર આપ્યા હતા.

આ પણ વાંચો : ટોટલ ધમાલને પાકિસ્તાનમાં રિલીઝ કરવામાં નહીં આવે : અજય દેવગન

ભૂમિ પેડણેકર અને ક્રિતી સૅનને પણ તેમનાથી બનતું યોગદાન શહીદોના પરિવાર માટે આપ્યું છે

ronnie screwvala vicky kaushal yami gautam bollywood news