Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોટલ ધમાલને પાકિસ્તાનમાં રિલીઝ કરવામાં નહીં આવે : અજય દેવગન

ટોટલ ધમાલને પાકિસ્તાનમાં રિલીઝ કરવામાં નહીં આવે : અજય દેવગન

19 February, 2019 10:37 AM IST |

ટોટલ ધમાલને પાકિસ્તાનમાં રિલીઝ કરવામાં નહીં આવે : અજય દેવગન

ટોટલ ધમાલની ટીમ

ટોટલ ધમાલની ટીમ


અજય દેવગન, અર્શદ વારસી, માધુરી દીક્ષિત નેને, અનિલ કપૂર, જાવેદ જાફરી, રિતેશ દેશમુખ, જૉની લીવર અને જૅકી શ્રોફની ‘ટોટલ ધમાલ’ને પાકિસ્તાનમાં રિલીઝ કરવામાં નહીં આવે. ઇન્દરકુમાર સહિત ફિલ્મની તમામ ટીમ દ્વારા આ નક્કી કરવામાં આવ્યું છે. આ વિશે અજય દેવગને ટ્વીટ કર્યું હતું કે દેશની અત્યારની સ્થિતિને જોતાં ‘ટોટલ ધમાલ’ની ટીમ દ્વારા એને પાકિસ્તાનમાં રિલીઝ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : સિલ્વર સ્ક્રીન પર ક્રિકેટિંગ સ્કીલ બતાવશે સાકિબ સલીમ, બનશે અમરનાથ



શહીદો માટે ટોટલ ધમાલની ટીમે કર્યું પચાસ લાખ રૂપિયાનું દાન


‘ટોટલ ધમાલ’ની ટીમે શહીદોના પરિવાર માટે ૫૦ લાખ રૂપિયાનું દાન કર્યું છે. પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ૪૦ જવાનો શહીદ થયા હતા. તેમની ફૅમિલીને સપોર્ટ કરવા માટે ‘ટોટલ ધમાલ’ની આખી ટીમ આગળ આવી છે. ઇન્દરકુમાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં અજય દેવગન, અર્શદ વારસી, માધુરી દીક્ષિત નેને, અનિલ કપૂર, જાવેદ જાફરી, રિતેશ દેશમુખ, જૉની લીવર અને જૅકી શ્રોફે કામ કર્યું છે. પુલવામા ટેરર અટૅકને લઈને ઘણી સેલિબ્રિટીઝ તેમને મદદ કરવા માટે આગળ આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2019 10:37 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK