તાનાજી : ધ અનસંગ વૉરિયર વિરુદ્ધ કરાયેલ અપીલની સુનાવણી ટળી

13 January, 2020 04:22 PM IST  |  New Delhi

તાનાજી : ધ અનસંગ વૉરિયર વિરુદ્ધ કરાયેલ અપીલની સુનાવણી ટળી

તાનાજી: ધ અનસંગ વૉરિયર

‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’ વિરુદ્ધ અખિલ ભારતીય ક્ષત્રીય કોળી રાજપૂત સંઘ દ્વારા દિલ્હી હાઈ કોર્ટમાં કરવામાં આવેલી અપીલની સુનાવણી હવે ૧૯ ડિસેમ્બરે થવાની છે. આ સંઘનું માનવું છે કે ઓમ રાઉત ડિરેક્ટેડ આ ફિલ્મમાં તાનાજીના અસલી વંશજોને દેખાડવામાં નથી આવ્યા. આ મામલા પર કોર્ટમાં શુક્રવારે સુનાવણી થવાની હતી. જોકે જજ ગેરહાજર હોવાથી સુનાવણી હવે ૧૯ ડિસેમ્બરે થવાની છે. ૨૦૨૦ની ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં અજય દેવગન, કાજોલ અને સૈફ અલી ખાન જોવા મળવાનાં છે. હવે એ જોવાનું રહેશે કે ફિલ્મને લઈને કોર્ટ શું નિર્ણય સંભળાવે છે.

ajay devgn bollywood news saif ali khan kajol entertaintment tanhaji: the unsung warrior