નુસરત જહાંનો ખુલાસો, પતિ નિખિલ પર લગાવ્યાં ગંભીર આક્ષેપ

09 June, 2021 05:07 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ટીએમસી સાંસદ અને અભિનેત્રી નુસરત જહાંએ તેના પતિ નિખિલ પર ગંભીર આક્ષેપો લગાવ્યાં છે.

નુસરત જહાં ( ફાઈલ ફોટો)

ટીએમસી સાંસદ અને અભિનેત્રી નુસરત જહાંની પ્રેગનેંસી બાદ પતિ  નિખિલ જૈન  સાથેના સંબંધ પર ઉઠતાં સવાલો પર વળતો જવાબ આપ્યો છે. નુસરતે એક નિવેદન જાહેર પોતાના લગ્ન અને લગ્ન બાદ તેના બેન્ક અકાઉન્ટ સાથે થયેલી છેડછાડનો ખુલાસો કર્યો છે. નુસરતે કહ્યું કે નિખિલે તેની જાણકારી બહાર જ બેન્કના ખાતામાંથી પૈસા નિકળ્યા હતાં. 

નુસરતે નામ લીધા વગર આક્ષેપ કરતાં કહ્યું કે જે વ્યક્તિ પોતાને અમીર ગણાવી મે તેનો ઉપયોગ કર્યો હોવાનું કહી રહ્યો છે તે રાતે કોઈ પણ સમયે મારી જાણ બહાર મારા ખાતામાંથી પૈસા લઈ લે છે. જોકે નુસરતે આ અંગે બેન્ક ઓથોરિટીને જાણ કરી છે અનને ટૂંક સમયમાં જ પોલીસમાં ફરિયાદ નોંધાવવાની પણ વાત કરી છે. 

નિખિલના આગ્રહ પર નુસરતે અને તેના પરિવારે તેને બેન્કની તમામ વિગતો આપી દીધી હતી.  નુસરતે કહ્યું કે  બેન્ક અકાન્ટના નિર્દેશો અંગે મને કે મારા પરિવારને કોઈ જાણકારી આપવામાં આવી નથી.  મારી મંજુરી વગર મારા અલગ અલગ ખાતામાંથી ફંડનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હું હજી પણ આ મામલે બેન્ક સાથે લડી રહી છુ અને જો જરૂર પડશે તો હું પુરાવા પણ રજૂ કરીશ.   

વધુમાં નુસરતે કહ્યું કે મારા ઘરેણાં સહિત મારો ઘણો સામાન તેની પાસે છે.  તેમજ મારી મહેનતથી કમાયેલી સંપત્તિ પણ તેની પાસે છે. 

Nusrat jahan tmc entertainment news