ફિલ્મની રિલીઝની તારીખ બદલવા માટે કોઈએ દબાણ નથી આપ્યું : કંગના

11 January, 2019 08:39 AM IST  | 

ફિલ્મની રિલીઝની તારીખ બદલવા માટે કોઈએ દબાણ નથી આપ્યું : કંગના

કંગના રનોટ

‘ઠાકરે’ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ‘ઠાકરે’ સાથે ‘વાય ચીટ ઇન્ડિયા’ રિલીઝ થવાની હતી, પરંતુ ઇમરાન હાશ્મી અભિનીત ‘વાય ચીટ ઇન્ડિયા’ના ફિલ્મમેકર્સે ફિલ્મને ૧૮ જાન્યુઆરીએ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ને પણ રિલીઝની તારીખ બદલવા માટે કોઈ જાતનું પ્રેશર આપવામાં આવી રહ્યું છે એ સવાલનો જવાબ આપતાં કંગનાએ કહ્યું હતું કે ‘અમને કોઈના તરફથી કોઈ પણ પ્રકારનું દબાણ નથી આપવામાં આવ્યું. એથી અમે ખુશ છીએ કે રિપબ્લિક ડેના વીક-એન્ડ વખતે અમારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. મારા મતે બન્ને ફિલ્મો સાથે એક જ દિવસે રિલીઝ થઈ શકે છે. અમારા પર કોઈ દબાણ પણ નથી નાખી રહ્યું. એથી એમ કહેવું અયોગ્ય છે કે અમને કોઈ પ્રેશર આપી રહ્યું છે.’

‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ને મોટી ફિલ્મ જણાવતાં કંગનાએ કહ્યું હતું કે ‘હું આ મોટી ફિલ્મનો ખૂબ નાનકડો ભાગ છું. અત્યાર સુધી મેં નાની ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ આ મારી સૌથી મોટી ફિલ્મ છે. ફિલ્મના બજેટ કે એની સ્ટોરીના કારણે નહીં, આ એટલા માટે મોટી ફિલ્મ છે કારણ કે ફિલ્મમાં ઉમદા કલાકારો સાથે કામ કરવાની મને તક મળી છે.’

આ પણ વાંચો : આ અભિનેત્રીઓ એક્ટિંગમાં નહીં, બિઝનેસમાં પણ છે આગળ

આ ફિલ્મને શંકર, એહસાન, લૉયે મ્યુઝિક આપ્યું છે. તેમની પ્રશંસા કરતાં કંગનાએ કહ્યું હતું કે ‘મેં પહેલી વાર શંકર, એહસાન, લૉય સાથે કામ કર્યું છે. તેમણે આ ફિલ્મ માટે જે પ્રકારે કામ કર્યું છે એને શબ્દોમાં વર્ણવી ન શકાય. ફિલ્મમાં 7-8 ગીતો છે અને દરેક ગીત એકબીજાથી ચડિયાતું છે. અમને એ સમજમાં નહોતું આવતું કે પહેલાં કયું ગીત રિલીઝ કરવામાં આવે. મારા મતે દર્શકો જ્યારે પૂરું આલ્બમ સાંભળશે ત્યારે તેમને અદ્ભુત અનુભવ થશે.’

kangana ranaut bollywood news