ઍક્ટિંગ કરતી વખતે હું પ્રશંસા તરફ ધ્યાન નથી આપતો : નવાઝુદ્દીન સિદ્દીકી

01 August, 2019 11:52 AM IST  |  મુંબઈ

ઍક્ટિંગ કરતી વખતે હું પ્રશંસા તરફ ધ્યાન નથી આપતો : નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું હતું કે તે ઍક્ટિંગ કરતી વખતે તેની કરવામાં આવતી પ્રશંસા તરફ ધ્યાન નથી આપતો. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની વેબ-સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’માં તેના ગણેશ ગાયતોંડેના પાત્રની લોકોએ ખૂબ વાહવાહી કરી છે. આ વિશે નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘સ્વાભાવિક છે મારી પ્રશંસા કરવામાં આવે તો હું ખુશ થાઉં છું.

આ પણ વાંચો : આર્ટિકલ 15ને કારણે હું વધારે ઇમોશનલ બન્યો છું : આયુષ્માન

જોકે હું જ્યારે પર્ફોર્મ કરતો હોઉં, કોઈ દૃશ્યને અપ્રોચ કરતો હોઉં તો મારી જાતને હું પ્રશંસાથી અને લોકોની અપેક્ષાથી મુક્ત રાખું છું. આ જ કારણ છે કે હું પ્રેશર નથી અનુભવતો અને મારું પૂરું ધ્યાન હું મારા લક્ષ્ય પર દોરું છું. પ્રશંસા અને સારા શબ્દોથી મારો પર્ફોર્મન્સ સરળ નથી થવાનો કે પછી મારા પર કોઈ જાતનું પ્રેશર પણ નહીં આવે.’

nawazuddin siddiqui bollywood news