મીડિયા ને સેલિબ્રિટીઝના સંબંધો પરસ્પર સન્માન આપવાથી સફળ થાય છે : અક્ષય

20 July, 2019 09:57 AM IST  |  મુંબઈ

મીડિયા ને સેલિબ્રિટીઝના સંબંધો પરસ્પર સન્માન આપવાથી સફળ થાય છે : અક્ષય

અક્ષયકુમાર

અક્ષયકુમારનું કહેવું છે કે મીડિયા અને સેલિબ્રિટીઝનાં સંબંધો આપસમાં માન-સન્માન આપવાથી સફળ થાય છે. કંગના રનોટનો મીડિયા સાથે થયેલા વિવાદ બાદ અનેક સેલિબ્રિટીઝે પોતાનાં વિચાર વ્યક્ત કર્યા છે. અક્ષયકુમારે હાલમાં જ તેની ફિલ્મ ‘મિશન મંગલ’ના ટ્રેલરને લૉન્ચ કર્યું છે. આ ઇવેન્ટમાં કંગનાની કન્ટ્રોવર્સી વિશે પૂછતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘વાસ્તવિક્તા એ છે કે અમે સેલિબ્રિટીઝ મીડિયા સાથે અગત્યનાં સંબંધો ધરાવીએ છીએ.

આ પણ વાંચો : ડિવોર્સ બાદ મલાઈકા વિશે કાંઈક આવું બોલ્યા અરબાઝ ખાન, સંબંધોનો કર્યો ખુલાસો

ખરાં અર્થમાં અમને તમારી જરૂર છે કારણ કે તમારા માધ્યમથી જ અમે સામાન્ય લોકો સુધી પહોંચી શકીએ છીએ. તેમ જ તમને પણ અમારી જરૂર છે. એથી આશા રાખું છું કે જે પણ સમસ્યા છે એનું વહેલાસર નિવારણ આવે.’

akshay kumar bollywood news