#MeTooને લઈને હવે લોકોમાં ડર પેદા થયો છે : ક્રિતી સૅનન

23 September, 2019 01:53 PM IST  |  મુંબઈ

#MeTooને લઈને હવે લોકોમાં ડર પેદા થયો છે : ક્રિતી સૅનન

ક્રિતી સૅનન

ક્રિતી સૅનનનું કહેવું છે કે લોકોમાં હવે #MeTooને લઈ‌ને ભય નિર્માણ થયો છે. તે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહી હતી. #MeeToo વિશે ક્રિતી સૅનને કહ્યું હતું કે ‘હું ખુશ છું કે આ વિષય પર હવે ચર્ચા થવા માંડી છે. આ સંદર્ભે જાહેરમાં બોલવા માટે પુરુષ હોય કે મહિલા, તેમને ભારે હિંમતની જરૂર પડે છે.’

ક્રિતીને પૂછવામાં આવ્યું હતું કે શું આ બાબતે બોલવાથી કોઈ ફરક પડ્યો છે? શું એનાથી બૉલીવુડ હવે મહિલાઓ માટે કામ કરવાનું સુરક્ષિત સ્થાન બન્યું છે? આ સવાલોના જવાબ આપતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘મને એની જાણ નથી કે શું આ મૂવમેન્ટ બાદ સલામત સ્થાન બન્યું છે કે નહીં. જોકે કોઈ પણ પ્રકારની સીમા પાર કરતાં પહેલાં લોકો ડરી રહ્યા છે, કારણ કે એની ભારે કિંમત ચૂકવવી પડશે.

આ પણ વાંચો : Dream Girl: આયુષ્માનની ડ્રીમ ગર્લ પહોંચી 100 કરોડની નજીક

જોકે કમનસીબી એ છે કે જે પણ મામલા ઉજાગર થયા હતા એ રેકૉર્ડેડ નહોતા. એથી ન્યાય કેવી રીતે મળી શકે? મને હાલમાં ખુશી એ વાતની છે કે લોકોમાં એક જાતનો ભય પેસી ગયો છે.’

kriti sanon bollywood news