પોતાની બાયોપિક બનાવશે કંગના રનૌત

15 February, 2019 10:36 AM IST  | 

પોતાની બાયોપિક બનાવશે કંગના રનૌત

મણિકર્ણિકા બાદ બાયોપિક ડિરેક્ટ કરશે કંગના

કંગના રનોટ પોતાની બાયોપિકને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. કંગના આ ફિલ્મને પોતે ડિરેક્ટ કરવાની છે. આ ફિલ્મમાં તેના બાળપણથી લઈને તેની અત્યાર સુધીની સફરને વણી લેવામાં આવશે. તે જેટલી સારી ઍક્ટર છે એટલી જ તેની લાઇફ કન્ટ્રોવર્સીથી ભરપૂર છે. મૂળ મનાલીની કંગનાએ બૉલીવુડમાં જાતમહેનતથી સફળતા પ્રાપ્ત કરી છે. એવી ચર્ચા છે કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ની સ્ક્રીપ્ટ લખનાર કે. વી. વિજયેન્દ્ર પ્રસાદ લખશે. બાયોપિક વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કંગનાએ કહ્યું હતું કે ‘ગરીબીમાંથી સફળતા મેળવવા સુધીના તમામ તબક્કાને ફિલ્મમાં ઉતારવામાં આવશે. સૌની સાથે મારા અનુભવોને શૅર કરવા માટે પણ હું ખુશ છું. હું આ ફિલ્મને લઈને ખૂબ જ એક્સાઇટેડ છું.

આ પણ વાંચોઃ ત્રીજા વીક એન્ડમાં આટલી વધી મણિકર્ણિકાની કમાણી, 100 કરોડની વધુ નજીક

મને પોતાને પણ વિશ્વાસ નથી બેસતો. મારી સ્ટોરી એક જાદુ કરતાં પણ વધુ જાદુઈ છે. આ કોઈ કાલ્પનિક સ્ટોરી નહીં હોય. મારી જર્નીને પ્રામાણિક, દિલને સ્પર્શી જનાર અને કેટલીક હળવી પળોને કંડારીને દેખાડવામાં આવશે. આ કોઈ પ્રૉપ્રગૅન્ડા ફિલ્મ નહીં હોય.’

kangana ranaut bollywood news