સોનાક્ષીને નથી ખબર કોના માટે સંજીવની બૂટી લાવ્યા હતા હનુમાન! થઈ ટ્રોલ

21 September, 2019 11:00 AM IST  |  મુંબઈ

સોનાક્ષીને નથી ખબર કોના માટે સંજીવની બૂટી લાવ્યા હતા હનુમાન! થઈ ટ્રોલ

સોનાક્ષી સિન્હા થઈ ટ્રોલ

ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હા તાજેતરમાં કૌન બનેગા કરોડપતિના 11માં સીઝનમાં નજર આવી. આ મોકા પર બિગ બીએ તેને અને તાના સહપ્રતિયોગીને સવાલ પુછ્યો કે, 'રામાયણ અનુસાર, હનુમાનજી સંજીવની બૂટી લઈને આવ્યા હતા?' આ સવાલનો જવાબ સોનાક્ષી સિન્હા ન આપી શકી. જેના કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે.

સોનાક્ષી જવાબ માટે આપવામાં આવેલા ચાર વિકલ્પોને લઈને અસમંજસમાં હતી. વિકલ્પ હતા. સુગ્રીવ, લક્ષ્મણ, સીતા અને રામ. આ સવાલનો જવાબ આપવા માટે સોનાક્ષીએ લાઈફ લાઈનનો ઉપયોગ કરવો પડ્યો અને તેના માટે જ તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.

એપિસોડ પુરો થતા જ સોનાક્ષી સિન્હાનો ટ્વિટર પર લોકો મજાક ઉડાવવા લાગ્યા. કેટલાક લોકો તેનો બચાવ કરી રહ્યા છે. એપિસોડ બાદ #SonakshiSinha ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ કરવા લાગ્યો હતો.

એક યૂઝરે તો એવું પણ લખ્યું છે કે, સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિન્હા છે, જેમના ત્રણ ભાઈઓ રામ, લક્ષ્મણ અને ભરત છે. સોનાક્ષીના ભાઈઓનું નામ લવ અને કુશ છે. જ્યારે ઘરનું નામ રામાયણ છે. છતા તેને આ સવાલનો જવાબ નથી આવડ્યો.

આ પણ જુઓઃ Happy Birthday Kareena: પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની છે બેબો, જુઓ તસવીરો

સોનાક્ષી સિન્હા છેલ્લે ફિલ્મ મિશન મંગલમાં નજર આવી હતી. સોનાક્ષી હાલ માલદિવ્સમાં પોતાની રજાનો આનંદ માણી રહી છે.

sonakshi sinha kaun banega crorepati