જર્નલિસ્ટ સાથે વિવાદ બાદ મીડિયાએ કંગના રનોટ પાસે કરી માફીની માગણી

10 July, 2019 09:51 AM IST  | 

જર્નલિસ્ટ સાથે વિવાદ બાદ મીડિયાએ કંગના રનોટ પાસે કરી માફીની માગણી

કંગના રનોટ

‘જજમેન્ટલ હૈ ક્યા’ની ઇવેન્ટમાં પત્રકાર સાથે થયેલાં વિવાદ બાદ મીડિયાએ હવે માગણી કરી છે કે કંગના રનોટે માફી માગવી જોઈએ. એવી ચર્ચા છે કે સિનીયર જર્નલિસ્ટ્સ આ ફિલ્મનાં પ્રોડ્યુસર એકતા કપૂરને મળવા ગયા હતા અને કંગનાએ આ મામલામાં માફી માગવી જોઈએ એવી માગણી કરી હતી. કંગનાનાં આવા વર્તનને કારણે સોશ્યલ મીડિયામાં પણ તેની ખાસ્સી નિંદા થઈ રહી છે. ઇન્ટરનેટ યુઝર્સ એવી સલાહ આપી રહ્યાં છે કે જો કંગના માફી ના માગે તો બૉલીવુડ મીડિયાએ તેનો બૉયકોટ કરવો જોઈએ. એક યુઝરે લખ્યું હતું કે કંગના રનોટ પોતાની પૉઝિશનનો ગેરફાયદો ઉઠાવી રહી છે. આ મામલામાં હવે શું વળાંક આવે છે? શું કંગના તે પત્રકારની માફી માગે છે કે નહીં એ જોવાનું રહેશે.

લોકોએ પોતાની ઝાટકણી માટે પણ તૈયાર રહેવું જોઈએ

તાપસી પન્નુ, અનુરાગ કશ્યપ અને રંગોલી વિશે પૂછતાં કંગનાએ કહ્યું...

કંગના રનોટનું કહેવું છે કે દરેક વ્યક્તિએ તેમની પોતાની ઝાટકણી માટે તૈયાર રહેવું જોઈએ. હાલમાં જ કંગનાની બહેન રંગોલીએ ટ્‍વિટર પર તાપસી પન્નુની ટીકા કરી હતી. આ પગલે અનુરાગ કશ્યપ પણ તાપસીના બચાવમાં આવ્યો હતો. આ વિશે પૂછતાં કંગનાએ કહ્યું હતું કે ‘હું મારી બહેનની પ્રવક્તા નથી. તેના પોતાનો વ્યુ રજૂ કરવાનો તેને હક છે. તે કોઈ અન્ય વ્યક્તિની ટ્‍‍વિટર વૉલ પર જઈને નથી લખી રહી. તે જે લખી રહી છે એ લોકોને પસંદ ન હોય તો તેની ટ્વીટ ન વાંચવી જોઈએ. તે કંઈ લોકોના દરવાજા ખખડાવીને તેની ટ્વીટ વાંચો એમ નથી કહીં રહી. લોકો તેમના અશ્લીલ ફોટો ટ્‍વિટર પર શૅર કરે છે, જ્યારે તે તો ફક્ત પોતાનો વ્યુ રજૂ કરી રહી છે.

આ પણ વાંચો : દીપિકાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો રણવીર સિંહના બર્થ-ડેનો કૅક

ઇન્ટરવ્યુમાં તાપસીએ કહ્યું હતું કે કંગનાને કામ ન મળી રહ્યું હોવાથી તે સગાવાદને જવાબદાર કહેતી ફરે છે આથી તેણે ડબલ ફિલ્ટર લગાવવાની જરૂર છે. કોઈ પણ વ્યક્તિનો મજાક ઉડાવવામાં કંઈ ખોટું નથી, પરંતુ તમારે પોતાના માટે પણ તૈયાર રહેવું જોઈએ. કોઈ તેમની ઝાટકણી કાઢે ત્યારે કેમ તેમને વાંધો પડે છે?’

kangana ranaut bollywood news