ફિલ્મો પ્રોડ્યુસ કરીને હું RK સ્ટુડિયોના વારસાને આગળ લઈ જઈશ: રણબીર કપૂર

13 May, 2019 10:47 AM IST  |  મુંબઈ

ફિલ્મો પ્રોડ્યુસ કરીને હું RK સ્ટુડિયોના વારસાને આગળ લઈ જઈશ: રણબીર કપૂર

રણબીર કપૂર

રણબીર કપૂરે જણાવ્યું હતું કે આર. કે. સ્ટુડિયોના વારસાને આગળ ધપાવવા માટે તે ફિલ્મો પ્રોડ્યુસ કરશે. કરીના કપૂર ખાને પણ તાજેતરમાં જ જણાવ્યું હતું કે કરિશ્મા કપૂર, રણબીર કપૂર અને તે‌ણે પોતાના કામ દ્વારા આર. કે. સ્ટુડિયોની ધરોહરને જાળવી રાખી છે. થોડા સમય પહેલાં જ ચેમ્બુરસ્થિત આર. કે. સ્ટુડિયોને એક રિયલ્ટી ફર્મને વેચવામાં આવ્યો છે. આર. કે. સ્ટુડિયો પ્રતિ પોતાની લાગણી વ્યક્ત કરતાં રણબીર કપૂરે કહ્યું હતું કે ‘આર. કે. સ્ટુડિયો મારા દાદાને કારણે આર. કે. સ્ટુડિયો હતો. તેમણે પોતાની ફિલ્મો માટે અને પોતાની ટૅલન્ટ દ્વારા આ સ્ટુડિયો બનાવ્યો હતો.

આ પણ વાંચો : રિશી કપૂર અને નીતુ સિંહને મળવા ન્યુ યૉર્ક પહોંચી દીપિકા પાદુકો‌ણ

ખરું કહું તો ખૂબ દુઃખ થાય છે એ જાણીને કે સ્ટુડિયો હવે નથી રહ્યો. જોકે મારું માનવું છે કે આર. કે. હજી પણ ત્યાં જ વસે છે. આ જ વસ્તુને હું આગળ લઈ જવા માગુ છું. આર. કે. સ્ટુડિયોના વારસાને જાળવી રાખવા માટે હું ફિલ્મો પ્રોડ્યુસ કરીશ અને મૂવીઝ બનાવીશ.’

ranbir kapoor bollywood news