'બાલા'નો તાજ આયુષ્માનને આપવા માગે છે અક્ષયકુમાર

12 November, 2019 12:11 PM IST  |  New Delhi

'બાલા'નો તાજ આયુષ્માનને આપવા માગે છે અક્ષયકુમાર

'બાલા'

અક્ષયકુમારે ‘બાલા’ જોયા બાદ આયુષ્માનને વિજેતા જાહેર કરતાં જીતનો તાજ તેને પહેરાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જોકે આયુષ્માને ખરો રાજા અક્ષયકુમારને ગણાવ્યો છે. અક્ષયકુમારે ‘હાઉસફુલ 4’માં બાલાનું પાત્ર ભજવ્યું છે ત્યારથી તેને બાલા કહેવામાં આવી રહ્યો છે. જોકે ‘બાલા’ જોયા બાદ અક્ષયનું માનવું છે કે ખરો ‘બાલા’ આયુષ્માન છે. રવિવારે અક્ષયકુમાર ‘બાલા’ જોવા માટે ગયો હતો. આ પહેલાં અક્ષયે ટ્વીટ કર્યું હતું કે ‘બાલા હાલમાં નવા ‘બાલા’ આયુષ્માનને જોવા માટે જઈ રહ્યો છે. તેની સાથે ભૂમિ પેડણેકર અને યામી ગૌતમ વિશે પણ ઘણી સારી વાતો સાંભળી રહ્યો છું.’

અક્ષયકુમારની ટ્વીટનો જવાબ આપતાં આયુષ્માને ટ્વીટ કર્યું હતું કે ‘અક્ષય પાજી મારા માટે એક પ્રેરણારૂપ બનવા માટે તમારો આભાર. રિયલ કિંગ બાલાની જય હો.’

આયુષ્માનની ટ્વીટનો જવાબ આપતાં અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘મેં હાલમાં જ ફિલ્મ પૂરી કરી છે અને તમામ રિસ્પેક્ટ સાથે હું બાલાનો આ તાજ આયુષ્માનને આપવા માગું છું. ‘બાલા’ની ટીમ પાસે વિજેતા છે.’

આ પણ જુઓ : Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

આ ટ્વીટનો જવાબ આપતાં આયુષ્માને ટ્વીટ કર્યું હતું કે ‘પાજી તમારું દિલ ખૂબ જ મોટુ છે. એટલા માટે જ તમે આટલા મોટા સુપરસ્ટાર છો. તમારો આભાર.’

akshay kumar ayushmann khurrana bollywood news