વાણી કપૂર અને રણબીર કપૂર શમશેરા માટે ઉપડ્યા લદ્દાખ

14 August, 2019 12:23 PM IST  |  મુંબઇ | હર્ષ દેસાઈ

વાણી કપૂર અને રણબીર કપૂર શમશેરા માટે ઉપડ્યા લદ્દાખ

વાણી કપૂર અને રણબીર કપૂર

યશરાજ ફિલ્મ્સ હેઠળની ‘શમશેરા’ માટે રણબીર કપૂર અને વાણ‌ી કપૂર લદ્દાખ ઉપડ્યાં છે. આ ફિલ્મમાં રણબીર ડાકુનું પાત્ર ભજવી રહ્યો છે. સંજય દત્ત ફિલ્મમાં વિલનના પાત્રમાં છે. લદ્દાખને યુનિયન ટેરીટરી જાહેર કર્યા બાદ આ પહેલી ફિલ્મ છે જેનું શૂટિંગ ત્યાં કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સુત્રએ કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં ખૂબ જ અદ્ભુત વિઝ્‌યુઅલનો દર્શકો લાભ લઈ શકશે અને એ માટે ડિરેક્ટર કરણ મલ્હોત્રા કોઈ કસર છોડવા નથી માગતો. તે ફિલ્મમાં સૌથી મહત્વના દૃશ્યને લદ્દાખમાં શૂટ કરવા માગે છે જેથી લોકેશનને કારણે એ વધુ સારા દેખાય. રણબીર અને વાણી એ માટે લદ્દાખ માટે ઉપડી ગયા છે.’

આ પણ વાંચો : શ્રીદેવીને દરરોજ યાદ કરે છે અનિલ કપૂર

આ શેડ્યુલ વિશે જણાવતાં સુત્રે કહ્યું હતું કે ‘આ એક ઇન્ટેન્સ શૂટિંગ શેડ્યુલ છે અને લદ્દાખમાં જે યુનિટ કામ કરી રહ્યું છે એ સિવાય કોઈને એ શેડ્યુલ વિશે કાનોકાન ખબર પડવા દેવામાં નથી આવી. લદ્દાખના શેડ્યુલમાં ફક્ત વાણી અને રણીબરાના દૃશ્યનો સમાવેશ કરવામાં આવશે.’

vaani kapoor ranbir kapoor bollywood news