ટૅલન્ટેડ કલાકાર પાસે કદી કામનો અભાવ નથી હોતો : રિચા ચઢ્ઢા

28 April, 2019 10:02 AM IST  |  મુંબઈ

ટૅલન્ટેડ કલાકાર પાસે કદી કામનો અભાવ નથી હોતો : રિચા ચઢ્ઢા

રિચા ચઢ્ઢા

રિચા ચઢ્ઢાનું માનવું છે કે જો કલાકારમાં ટૅલન્ટ હોય તો તેમની પાસે કામનો અભાવ નથી હોતો. રિચાએ ૨૦૦૮માં આવેલી ‘ઓય લકી! લકી ઓય!’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તે સતત તેની ફિલ્મોમાં વ્યસ્ત રહે છે. ‘ફુકરે’માં ભોલી પંજાબનના પાત્રમાં લોકોએ તેને ખૂબ જ પસંદ કરી હતી. પોતાની પહેલી ફિલ્મથી સતત કામ કરતી હોવાનું જણાવતાં રિચાએ કહ્યું હતું કે ‘સારા કલાકારો માટે પૂરતા પ્રમાણમાં કામ હોય છે.

આ પણ વાંચો : સની દેઓલનો ગદરનો ડાયલૉગ ગુંજી ઊઠ્યો: હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, હૈ ઔર રહેગા

મારી પાસે કામનો અભાવ કદી પણ નથી રહ્યો. એવું એક પણ વર્ષ નથી આવ્યું જ્યારે મારી કોઈ ફિલ્મ રિલીઝ ન થઈ હોય. મારી પહેલી ફિલ્મ બાદ દર વર્ષે હું ફિલ્મમાં કામ કરતી રહી છું. સારું કામ ઝડપથી આગળ વધે છે, જેના કારણે સારું કામ પણ મળતું રહે છે.’

richa chadda bollywood news