29 December, 2019 12:45 PM IST | Mumbai
વિકી કૌશલ
વિકી કૌશલે ‘સરદાર ઉધમ સિંહ’નું શૂટિંગ પૂરુ કરી લીધુ છે. જલિયાંવાલા બાગની એ ઘટના બાદ પંજાબનાં ભુતપૂર્વ ગવર્નર માઇકલ ઓ’ ડાયરની સરદાર ઉધમ સિંહે હત્યા કરી હતી. જલિયાંવાલા બાગની ઘટના ૧૯૧૯ની ૧૩ એપ્રિલે ઘટી હતી. ત્યાર બાદ જનરલ ડાયરની હત્યા કરવા બદલ ઉધમ સિંહને ૧૯૪૦ની જુલાઈમાં ફાંસીની સજા આપવામાં આવી હતી. આ ફિલ્મનું શૂટિંગ વિવિધ દેશોમાં કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં વિકી લીડ રોલમાં જોવા મળશે.
આ પણ વાંચો : રણવીર સિંહ, વિકી કૌશલ અને ભૂમિ પેડણેકરના કામ પર ફિદા છે કંગના રનોટ
આ ફિલ્મ ૨૦૨૦ની બીજી ઑક્ટોબરે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનાં ડિરેક્ટર શૂજિત સરકાર છે. વિકી કૌશલે ફિલ્મની ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.