અજય દેવગન હવે ટબૅકો પ્રોડક્ટ્સને એન્ડૉર્સ નહીં કરે

15 May, 2019 09:38 AM IST  |  મુંબઈ

અજય દેવગન હવે ટબૅકો પ્રોડક્ટ્સને એન્ડૉર્સ નહીં કરે

અજય દેવગન

કૅન્સર પેશન્ટ ફૅનની અરજ બાદ અજય દેવગને ખાતરી આપી છે કે તે એવી કોઈ પ્રોડક્ટ્સને એન્ડૉર્સ નહીં કરે જેમાં ટબૅકો હોય. રાજસ્થાનમાં રહેતા ૪૦ વર્ષના નાનકરામે થોડા સમય પહેલાં જ જાહેરમાં અજય દેવગનને અપીલ કરી હતી કે તે સમાજનાં કલ્યાણ માટે ટબૅકો પ્રોડક્ટ્સને એન્ડૉર્સ ન કરે. એ દરદીના પરિવારે જણાવ્યું હતું કે અજય દેવગન જે પ્રોડક્ટ્સની ઍડ્વર્ટાઇઝ કરતો હતો એ પ્રોડક્ટ્સ તે ખાતો હતો, જેને કારણે તે કૅન્સરનો ભોગ બન્યો છે. આ તમામ બાબત જાણ્યા બાદ નાનકરામ સાથે સતત કૉન્ટૅક્ટમાં હોવાની વાત જણાવતાં અજય દેવગને કહ્યું હતું કે ‘મેં હંમેશાં મારા કૉન્ટ્રૅક્ટમાં એ વાત જણાવી છે કે હું કદી પણ ટબૅકોને પ્રમોટ નહીં કરું. મેં જે પણ ઍડ કરી છે એ બધી એલચીની છે અને મારા કૉન્ટ્રૅક્ટમાં લખ્યું છે કે એ બધું નૉન-ટબૅકો છે. એથી એવું બની શકે કે એ જ કંપની કંઈ બીજું વેચતી હોય. ખબર નથી કે એમાં હું શું કરી શકું.’

દે દે પ્યાર દે હવે ગુરુવારે રિલીઝ થશે

‘દે દે પ્યાર દે’ના મેકર્સે નિર્ણય લીધો છે કે તેઓ આ ફિલ્મને શુક્રવારે નહીં પરંતુ ગુરુવારે રિલીઝ કરશે. આ ફિલ્મમાં અજય દેવગનની સાથે તબુ અને રકુલ પ્રીત સિંહ પણ જોવા મળશે.

ફિલ્મમેકર્સે નક્કી કર્યું છે કે ગુરુવારે સાંજે પેઇડ પ્રીવ્યુઝ રાખવામાં આવશે. ફિલ્મના આ અપડેટની માહિતી ટ્‍‍વિટર પર આપતાં ફિલ્મનું પોસ્ટર શૅર કરીને અજય દેવગને ટ્વીટ કર્યું હતું કે ‘આ ગુરુવારે જુઓ પેઇડ પ્રીવ્યુઝ. હમણાંથી જ બુકિંગ કરો.’

આ પણ વાંચો : મળો ડેશિંગ DJ હાર્દિકને, જે લોકોને નચાવે છે પોતાની ધૂન પર

અજય ક્યાં ઊપડ્યો?

અજય દેવગન ગઈ કાલે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો. તેની સાથે તેનો દીકરો યુગ પણ હતો. તેઓ ‘દે દે પ્યાર દે’ના પ્રમોશન માટે જઈ રહ્યા હતા. તસવીર : સૈયદ સમીર અબેદી

ajay devgn bollywood news