ગણેશ ગાયતોંડેને મેં ક્યારેય જજ નથી કર્યો : નવાઝુદ્દીન સિદ્દીકી

02 August, 2019 11:38 AM IST  |  મુંબઈ

ગણેશ ગાયતોંડેને મેં ક્યારેય જજ નથી કર્યો : નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે તે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની વેબ-સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ સિરીઝના ગણેશ ગાયતોન્ડેના પાત્રને લઈને કોઈ સવાલ નથી કરતો. ગણેશ ગાયતોન્ડેનો એક ડાયલૉગ છે કે ‘કભી કભી લગતા હૈ અપુન હી ભગવાન હૈ.’ આ પાત્ર વિશે નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘શોમાં ગાયતોન્ડે જે કરે છે એ સારું છે કે ખરાબ છે એ હું નથી જાણતો. મારે તો માત્ર પાત્રની ડિમાન્ડને પૂરી કરવાની છે પછી એ તેની ભાષા હોય કે પછી અન્ય વસ્તુ હોય. હું એમ ન કહી શકું કે હું આ નહીં કરુ કે તે નહીં કરું, કારણ કે રિયલ લાઇફમાં મને લોકો તરફથી ભરપૂર પ્રેમ અને સન્માન મળ્યાં છે. હું સારી-સારી ભૂમિકા ભજવવામાં નથી માનતો. એમાં કોઈ પણ જાતનો દંભ ન હોવો જોઈએ.

આ પણ જુઓ : Alisha Prajapati: આ ગુજ્જુ ગર્લ થિયેટર આર્ટિસ્ટમાંથી બની ફિલ્મ સ્ટાર

હું જજમેન્ટલ નથી. હું નવાઝ તરીકે ગાયતોન્ડે આવું શું કામ કરે છે એના પર સવાલ નથી કરતો. તે એક પાત્ર છે, એ તેની સ્ટોરી છે. એ તેની લાઇફ છે. મારે ડિરેક્ટરના, રાઇટરના અને ટીમના વિઝન પર ભરોસો રાખવાનો હોય છે.’ 

nawazuddin siddiqui bollywood news