દંગલના નીતેશ તિવારી માટે બૉક્સ ઑફિસ કલેક્શન મહત્ત્વ નથી રાખતું

02 September, 2019 12:14 PM IST  | 

દંગલના નીતેશ તિવારી માટે બૉક્સ ઑફિસ કલેક્શન મહત્ત્વ નથી રાખતું

આમિર ખાન અભિનીત ‘દંગલ’ને મળેલી અદ્ભુત સફળતા બાદ નીતેશ તિવારીનું માનવું છે કે તેના માટે બૉક્સ-ઑફિસના આંકડા કોઈ મહત્ત્વ નથી રાખતા. તેઓ હવે સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂર સાથેની ‘છિછોરે’ લઈને આવશે. ફિલ્મ બૉક્સ-ઑફિસ પર કેવી રહેશે એ વિશે કોઈ પ્રકારનું પ્રેશર નથી એવું જણાવતાં નીતેશ તિવારીએ કહ્યું હતું કે ‘અમે દિમાગમાં બૉક્સ-ઑફિસના આંકડાઓ વિશે ધારણા નથી બાંધતા.

આ પણ વાંચો: પર્યાવરણનાં રક્ષણ માટે મારી કમાણીની મોટાભાગની રકમ ડોનેટ કરીશ : કંગના

એથી અમે જ્યારે ‘દંગલ’ બનાવી ત્યારે કોઈ પણ પ્રકારનું પ્રેશર નહોતું. ‘દંગલ’ની સફળતા બાદ મારા માટે બૉક્સ-ઑફિસના આંકડા કોઈ મહત્ત્વ નથી રાખતા. તમે એમ ના કહી શકો કે મારી ફિલ્મ બૉક્સ-ઑફિસ પર આટલું કલેક્શન કરશે. મારા માટે એ જ પ્રેશર છે કે હું લોકોની ફિલ્મ પ્રત્યેની આશાઓ પૂરી કરું. આશા રાખું છું કે હું એના પર ખરો ઊતરીશ.’

excel entertainment bollywood gossips gujarati mid-day