બિઝી હોવાથી પંકજ ત્રિપાઠીએ છોડી પંગા

06 January, 2020 04:23 PM IST  |  Mumbai Desk

બિઝી હોવાથી પંકજ ત્રિપાઠીએ છોડી પંગા

પંકજ ત્રિપાઠીએ પોતાના બિઝી શેડ્યુલને કારણે ‘પંગા’ છોડી દીધી હતી. આ ફિલ્મમાં કંગના રનોટ એક કબડ્ડી પ્લેયરની ભૂમિકામાં જોવા મળવાની છે. અશ્વિની ઐયર તિવારીની આ ફિલ્મમાં નીના ગુપ્તા પણ અગત્યના રોલમાં દેખાશે. અશ્વિની આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠીને મહત્ત્વનો રોલ આપવાની હતી. ફિલ્મની સ્ટોરી સાંભળ્યા બાદ પંકજે ફિલ્મ માટે હા પાડી હતી. જોકે ભોપાલમાં શૂટિંગ શરૂ થાય એ પહેલાં જ પંકજે ફિલ્મમાંથી હટવાનો નિર્ણય લીધો હતો. એનું કારણ આપતાં પંકજે જણાવ્યું હતું કે મારી પાસે ડેટ ન હોવાથી ફિલ્મને ના પાડવી પડી હતી.

pankaj tripathi bollywood bollywood news bollywood gossips