09 June, 2019 10:03 AM IST | મુંબઈ
આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાનાનું માનવું છે કે તેનો દીકરો ભવિષ્યમાં તેની ફિલ્મોગ્રાફી પર ગર્વ કરશે. આયુષ્માને બૉલીવુડમાં શરૂઆત કરી ત્યારથી તે અલગ પ્રકારની ફિલ્મો કરતો આવ્યો છે. આયુષ્માન બે બાળકોનો પિતા છે, પરંતુ તેની ફિલ્મોની પસંદગી કરતી વખતે તે પોતે પિતા છે એવું નથી વિચારતો.
આ વિશે પૂછતાં આયુષ્માને કહ્યું હતું કે ‘એક ઍક્ટર તરીકે હું જ્યારે પણ સ્ટોરી કહું છું ત્યારે એ ક્ષણિક હોય છે. હું પણ મારો વારસો છોડીને જવા માગું છું જેમાં સોસાયટીની વાત કરવામાં આવી હોય. જોકે એક ઍક્ટર તરીકે હું સ્ટોરીને અનુરૂપ કોઈ પણ પાત્ર કરવા માટે તૈયાર છું.
આ પણ વાંચો : હૃતિક રોશન સાથેની ફિલ્મને યોગ્ય કૉમ્બિનેશન જણાવ્યું ટાઇગર શ્રોફે
મારા દીકરાની વાત છે ત્યાં સુધી તે ફક્ત સાત વર્ષનો છે અને તેને વરુણ ધવન અને ટાઇગર શ્રોફ જેવા હીરો ખૂબ જ ગમે છે. તેને મારી ફિલ્મોની સમજ નથી. તે જ્યારે મોટો થશે ત્યારે એક દિવસ મારી પસંદગીની ફિલ્મો પર તેને ગર્વ થશે. સ્ટોરી જે રીતે આગળ વધે અને લોકોને જકડીને રાખે એને આધારે હું એને પસંદ કરું છું પછી હું સિંગલ હોઉં કે મૅરિડ.’