મારા મનોબળને વધારવા માટે હું મારા પેરન્ટ્સની આભારી છું : અંકિતા લોખંડે

23 January, 2019 11:16 AM IST  | 

મારા મનોબળને વધારવા માટે હું મારા પેરન્ટ્સની આભારી છું : અંકિતા લોખંડે

અંકિતા લોખંડે

કંગના રનોટની ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ દ્વારા અંકિતા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. તે હાલમાં ફિલ્મના પ્રમોશન માટે ઈન્દોર પહોંચી હતી, જ્યાં તેની સાથે તેના પેરન્ટ્સ પણ હાજર હતા. પ્રેસ-કૉન્ફરન્સમાં માતા-પિતાને પોતાના પિલર્સ જણાવતાં અંકિતાએ કહ્યું હતું કે ‘મારી કરીઅરમાં મને જે પ્રશંસા અને સફળતા મળી છે એના માટે હું મારા પેરન્ટ્સની આભારી છું. મારી કરીઅર દરમ્યાન આવેલા તમામ ઉતાર-ચડાવમાં તેઓ મારી પડખે અડીખમ ઊભાં રહ્યાં હતાં. તેમણે મને શીખવ્યું છે કે હંમેશાં સત્યની સાથે જ ઊભા રહેવું અને કોઈને પણ તમને નીચા દેખાડવાની તક ન આપવી. મારા પેરન્ટ્સની આંખમાં મારા પ્રતિ જે ગર્વ હું જોઈ રહી છું એની મને ખૂબ જ ખુશી છે.

આ પણ વાંચો : '83 સાથે, રણવીર સિંહ પોતાની પહેલી ત્રિભાષી ફિલ્મ માટે છે તૈયાર!'

હું જ્યારે પણ હતાશ થતી ત્યારે તેઓ મારું મનોબળ વધારતાં હતાં. મેં ખૂબ જ નાની વયે જ્યારે ટીવીમાં કામ કરવાની શરૂઆત કરી હતી ત્યારે તેઓ ખૂબ જ ખુશ થયાં હતાં. હું હવે બૉલીવુડમાં પદાર્પણ કરી રહી છું ત્યારે તેમને જે ખુશી છે એવી ખુશી મેં તેમના ચહેરા પર આજ સુધી નથી જોઈ.’

ankita lokhande bollywood news