શું છે અનિલ કપૂરની લાઇફનું મિશન?

09 March, 2019 10:52 AM IST  | 

શું છે અનિલ કપૂરની લાઇફનું મિશન?

અનિલ કપૂર

અનિલ કપૂર છેલ્લા ચાર દાયકાથી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં વર્ચસ જમાવી રહ્યો છે. આમ છતાં તે કહે છે કે તેને પોતાનામાં ઘણા સુધારા કરવા છે. આ વિશે વધુ જણાવતાં અનિલ કપૂરે કહ્યું હતું કે ‘મારી ઇચ્છા છે કે હું સારું કામ કરું, સારી વ્યક્તિ બનું. મારું માનવું છે કે વ્યક્તિમાં સામથ્ર્યની કોઈ કમી નથી હોતી. એથી જ આપણે પોતાને જે ક્રેડિટ આપીએ છીએ એના કરતાં પણ વધુ કામ કરવા માટે આપણે સક્ષમ છીએ.

આ પણ વાંચો : બૉલીવુડની ફિલ્મોમાં મરજીથી થતા સેક્સને દેખાડવામાં નથી આવતા: ઝોયા અખ્તર

હું શું કામ કરી શકું અને વધુ સારી રીતે કેવી રીતે કરી શકું એ એક્સપ્લોર કરવાનું મારી લાઇફનું મિશન છે.’

anil kapoor bollywood news