બૉલીવુડે કમર્શિયલ સિનેમાની વચ્ચે બૅલૅન્સ જાળવી રાખ્યું છે: અનિલ કપૂર

19 March, 2019 11:11 AM IST  | 

બૉલીવુડે કમર્શિયલ સિનેમાની વચ્ચે બૅલૅન્સ જાળવી રાખ્યું છે: અનિલ કપૂર

અનિલ કપૂર

અનિલ કપૂરનું માનવું છે કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ કન્ટેન્ટ અને કમર્શિયલ ફિલ્મોની વચ્ચે સારો તાલમેળ જાળવી રાખ્યો છે. ફિલ્મોની કન્ટેન્ટ સારી હોય તો લોકો એને પસંદ કરે છે એ વિશે અનિલ કપૂરે કહ્યું હતું કે ‘દરેક પ્રકારના દર્શકો અને દરેક પ્રકારની ફિલ્મો માટે આપણી પાસે જગ્યા છે. કન્ટેન્ટ આધારિત ફિલ્મ હોય કે પછી કમર્શિયલ ફિલ્મ હોય, આપણી ઇન્ડસ્ટ્રીએ બન્ને વચ્ચે બૅલૅન્સ જાળવી રાખ્યું છે. ફિલ્મોની કન્ટેન્ટ સારી હોય તો એને બૉક્સ-ઑફિસ પર સારો રિસ્પૉન્સ મળે છે એનું કારણ એ છે કે પહેલાં કરતાં હાલમાં હવે લોકો ફિલ્મોને લઈને વધુ પરિપક્વ બન્યા છે. દર્શકોનો ટેસ્ટ દિવસે-દિવસે બદલાતો જાય છે અને એની સાથે સિનેમામાં પણ વિકાસ જોવા મળી રહ્યો છે. મારા મતે ફિલ્મો સારી છે કે નહીં એનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ એ યોગ્ય સમયે રિલીઝ કરવામાં આવી કે નહીં એ મહત્વનું છે.’

બૉક્સ-ઑફિસ પર ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’એ ૪૩ કરોડ અને ‘ટોટલ ધમાલે’ ૧૪૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. તેઓ દરેક ફિલ્મ સાથે એક્સપેરિમેન્ટ્સ કરી રહ્યા છે એની ખુશી વ્યક્ત કરતાં અનિલ કપૂરે કહ્યું હતું કે ‘આ ફિલ્મો કરીને મારામાં એક સેલ્ફ-ગ્રોથ અને કંઈક સિદ્ધિ મેળવી હોય એવી લાગણીનો અનુભવ થાય છે. મને એમાં ખૂબ જ ગર્વ મહેસૂસ થાય છે.’

anil kapoor bollywood news