આલિયા સાથેની કૅમિસ્ટ્રી ઑન-સ્ક્રીન જાદુ રેલાવે છે : વરુણ

16 April, 2019 11:33 PM IST  |  મુંબઈ

આલિયા સાથેની કૅમિસ્ટ્રી ઑન-સ્ક્રીન જાદુ રેલાવે છે : વરુણ

આલિયા-વરૂણ

વરુણ ધવનનું કહેવું છે કે રિયલ લાઇફમાં આલિયા ભટ્ટ સાથે સારા સંબંધો હોવાને કારણે ઑન-સ્ક્રીન તેમની કૅમિસ્ટ્રી જાદુ રેલાવે છે. આ બન્નેએ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી બૉલીવુડમાં પદાર્પણ કર્યું હતું. ‘કલંક’માં પણ આ બન્ને જોવા મળી રહ્યાં છે. તેમણે ‘હમ્પટી શર્મા કી દુલ્હનિયા’ અને ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’માં પણ સાથે કામ કર્યું હતું. તેમની ઑન-સ્ક્રીન કૅમિસ્ટ્રી લોકોને પણ ખૂબ જ પસંદ પડી રહી છે. આ વિશે વરુણે કહ્યું હતું કે, ‘હું તેની સાથે જે રીતે કનેક્ટ થાઉં છું એનું એક રિઍક્શન આવે છે અને એનું પરિણામ તમે ઑન-સ્ક્રીન જોઈ શકો છો.

આ પણ વાંચો : મીડિયમથી કોઈ ફરક નથી પડતો કરણસિંહ ગ્રોવરને

અમે જ્યારે પર્ફોર્મ કરીએ છીએ ત્યારે તેની દરેક નાની-નાની બાબતોને હું ધ્યાનમાં લઉં છું અને એના પર રિઍક્શન આપું છું. અડધી ઍક્ટિંગ એકબીજાને સમજીને કરવાની હોય છે અને મોટા ભાગે કલાકાર તરીકે અમે એ નથી કરતાં. જોકે આલિયા સાથે દરેક વસ્તુને હું ચોક્કસથી સાંભળું છું અને એ સમજવાનો પ્રયાસ કરું છું કે તે શું કરવા માગે છે.’

alia bhatt varun dhawan bollywood news